SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 03 ધાર્મિક કાર્યોમાં લેવાય એમ શ્રી મહાવીર પ્રભુ ઉપદેશ આપે છે. તેમાં સંમત થઈ તેમની આજ્ઞા પ્રમાણે વર્તવા તૈયાર થવું જોઈએ. પ્રભુ મહાવીરના ઉપદેશે સાંભળનારી સ્ત્રીઓને શ્રાવિકાસંધમાં ગણીને તેઓને ચતુર્વિધ સંઘમાં દાખલ કરવામાં આવનાર છે. તેથી શ્રાવિકાસંઘના આચારો અને વિચારોરૂપ જેનધર્મ પાળવા માટે સીધે સદા તૈયાર રહેવું જોઈએ સ્ત્રી સંઘને સર્વ ધર્મ શાનું તથા વ્યાવહારિક શાનું વાચન, મનન, અધ્યયન કરવાને હક છે. 'કન્યાઓને લગ્નની યોગ્ય મટી વય વિના ન પરણાવવી જોઈએ. જે પરમાત્મા મહાવીર દેવને ભક્ત બન્યું છે તેની સાથે પરણવું જોઈએ, કે જેથી પરસ્પરના ક્યથી ઉત્તમ ધમી સંતતિ ઉત્પન્ન થઈ શકે. પ્રભુ મહાવીરદેવની બન્ને સંધ્યાએ પ્રાર્થના અને સ્તુતિ કરવી. પ્રભુના નામે અનેક નવાં નવાં ઉત્તમ ગીતે બનાવીને તે ગાવાં જોઈએ. નવરાશના વખતમાં, ઉત્સામાં, લગ્નપ્રસંગોમાં, અધિક માસમાં, શ્રાવણ-ભાદરવા-આ માસમાં સ્ત્રી સંઘે પ્રભુના ગરબા ગાવા અને પ્રભુ મહાવીરનાં ગરબા-ગીત ગાનારાઓની લહાણ વગેરેથી ભક્તિ કરવી. પ્રભુના ભકતોની અને ભક્તાણીઓની સંગતિ એ જ અન ત ધર્મયજ્ઞરૂપ છે, એમ જાણી તેમની સંગતિ કરવી. સંઘે પ્રસૂતિ સમયે એકબીજાને મહાય આપવી અને સ્ત્રીઓમાં પ્રેમભાવના અને પતિવ્રતા ધર્મરૂપ જૈનધર્મ વધે એટલા માટે જૈનધર્મનું ગુરુગમપૂર્વક શ્રવણ કરવું. યુદ્ધ વગેરે કલાઓનું સ્ત્રીઓએ જ્ઞાનસંપાદન કરવું. પતિવ્રતાધર્મને, પ્રાણનો નાશ થાય તેપણ, લેપ ન કરે અને હજારે પુરુષની વચમાં રહી - ચર્યવ્રત, પતિવ્રત પાળવું. પતિવ્રતા સ્ત્રીઓએ આર્યધર્મ યાને જૈન ધર્મના પ્રકાશક મહાવીરદેવને સર્વ કાર્યો કરતાં હૃદયમાં સમરવા અને કઈ દુષ્ટ પિતાને મહાવીરદેવનું ભજન કે સ્મરણ કરતાં મારી નાખે અથવા વિપરીત કત કરી ગાવે, તે પણ For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy