SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ મહાવીર સુવિચારો અને સવૃત્તિઓ, સદુપદેશે, સદ્વ્યવહાર એ જ જૈનધર્મ છે. તે જ બ્રાહ્મણધર્મ, વેદધર્મ, ક્ષાત્રધર્મ, આર્યધર્મ, ભાગવતધર્મ, આહંતધર્મ આદિ અનેક નામથી વિશ્વમાં વ્યવહરાય છે. સત્ય પ્રેમ, સત્ય મંત્રી, સત્ય સંબંધ, ભક્તિગ, જ્ઞાનગ કમંગ અને ઉપાસનાગ આદિ જે અસંખ્ય ગો છે તે જૈન ધર્મ છે. તેને ઉદ્ધાર શ્રી મહાવીર પ્રભુ કરવાના છે. ઋષિએ, બ્રાહ્મણે તેની ચળવળ કર્યા કરે છે. શ્રી મહાવીર પ્રભુના ઉદાર વિચારો સામે સાંકડા વિચારો, નકામી રૂઢિઓ, દેશ, કેમ, જ્ઞાતિ, સમાજ, સંઘને હાનિ કરનારા નકામા રીતરિવાજે, અર્થ વિનાની ગોખણપટ્ટીઓ વગેરેના પક્ષપાતીઓનું જોર ચાલવાનું નથી. પશુહિંસાના યો નાબૂદ થઈને હવે સત્ય અને શુભ યોને પ્રચાર થવાને છે. સ્ત્રીવર્ગની ઉન્નતિ થવાની છે. માટે અમે સર્વે શ્રી મહાવીર પ્રભુના અનુયાયી બનીએ છીએ.” સ્ત્રીસંઘ : “શ્રીમતી યશોદાદેવી! તમને નમસ્કાર થાઓ. સ્ત્રીવર્ગની ઉન્નતિ થાય એવા વિચારો ગ્રહવા માટે સમગ્ર સ્ત્રીસંઘ તમારી પાસે આવ્યો છે. માટે આપના વિચારને લાભ આપે.” યશોદાદેવીઃ “સ્ત્રીસંઘ ! તમને નમસ્કાર થાઓ. તમારું સ્વાગત કરું છું. પ્રિય પ્રભુ શ્રી મહાવીર પ્રભુએ સ્ત્રીસંઘની ઉન્નતિના જે વિચારો મને આપ્યા છે તે તમારી આગળ જણાવું છું. સ્ત્રીઓએ પિતાના પતિઓ પર સત્ય અને શુદ્ધ પ્રેમ ધારણ કરે. તેઓએ વિનય, વિવેક અને સેવાધર્મમાં અપ્રમત્ત રહેવું. પુત્રીઓને તથા પુત્રોને સંસ્કૃત ભાષા વગેરે ભાષાનું જ્ઞાન આપવું તેમ જ સ્ત્રીઓને સ્ત્રોગ્ય કલાઓનું જ્ઞાન આપવું. તેમની માનસિક શક્તિઓ ખીલવવા સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવી. કેઈપણ જાતની સ્ત્રીને નીચ, અપશ્ય માનવી નહીં. સ્ત્રીઓને દરજજો જાળવવા પ્રયત્ન કરવો. સ્ત્રી સંઘની સંમતિ દરેક સામાજિક, દૈશિક, For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy