SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪ અધ્યાત્મ મહાવીર છે તેઓને શાસ્ત્રો, વેદે કે પૂર્વે ભણવાની જરૂર નથી. તેઓમાં અનંત કર્મ પ્રકૃતિની અને અનંત આત્માની શક્તિરૂપ જે ગુણે અવ્યાકૃત (અપ્રગટ) હતા તે વ્યાકૃત (પ્રગટ) થાય છે, તે બાહ્ય તથા આન્તર સૃષ્ટિ રચવાને ઈશ્વર અર્થાત્ શક્તિમાન થાય છે. તેઓમાં કલ્પનામાં ન આવે અને શાથી પણ ન કળી શકાય. એવી શક્તિ પ્રગટ થાય છે. સંગ્રહનયની સત્તાએ તે સર્વ શક્તિઓ મારારૂપ છે. મારા નિમિત્તકર્તાભાવે તે શક્તિઓ ઉત્પન્ન થયેલી છે એમ જાણીને સર્વ મનુષ્ય તથા દે મારું શરણ, મારે આશ્રય સ્વીકારી પૂર્ણ બ્રહ્મરૂપ બને છે. શ્રીમતી યશોદાદેવી ! કરોડ જિહુવાથી કરડે વર્ષ પર્યન્ત બૃહસ્પતિ સરખા મારી મુખથી જ્ઞાની અને કર્મચગીઓનું સ્વરૂ૫ સાંભળે, તે પણ તેને કઈ પાર પામી શકે નહીં. મારા પર જેણે પૂર્ણ પ્રેમ અને વિશ્વાસ ધાર્યો છે તે જૈન બની તેની ઝાંખી અનુભવે છે.” યશોદાએ કરેલી સ્તુતિ : યશોદાએ કહ્યું: “પૂર્ણપ્રિય પ્રભુ મહાવીર સ્વામિન ! આપે આજે અને પૂર્વે જ્ઞાનગી અને કર્મચગીનું જે વરૂપ વર્ણવ્યું તે માનું છું, હું છું. આપની જ્યોતિમાં પૂર્ણ પ્રેમે વિલસનારી તમારી યશોદા આપના આત્માની સાથે અભેદરૂપે પરિણમી છે. આપે પરબ્રહ્મ તરીકે પોતાનું સ્વરૂપ જણાવ્યું તે પૂર્ણ સત્ય છે. સૂર્ય પોતે પિતાનું સૂર્યસ્વરૂપ જેવું હોય તેવું કહે તેમાં કંઈ મેહ, દેષ કે અસત્યતા નથી. તેમ આપ પરમાત્માએ આપની અનંત શક્તિને મહિમા અને તેનું પ્રભુત્વ સત્યપણે જણાવ્યું તે પરમ સત્ય છે. આપ પરમ સત્ય, કર્તા, વિભુ, સ્પષ્ટ વક્તા છે અને બાળ જ યથાર્થ સ્વરૂપ સમજે તે માટે પૂર્ણ સત્ય પ્રકાશે છે. પ્રભે ! આપ શબ્દશાસોથી યા તાર્કિક શાસ્ત્રોના For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy