________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વરૂપ દર્શન
૨૦૫ પછી જન્મ–જરા-મરણના ચોરાસી લાખ એનિના ફેરા રહેતા નથી
જે મને જાણે છે તે સકલ વિશ્વને જાણે છે. જે શુદ્ધાત્મવીરરૂપ મને જાણતા નથી તે સર્વ વિશ્વને જાણતા નથી. જે આત્મરૂપ વીરનો પૂજક નથી તે અજ્ઞાની છે. મને જાણું--અનુભવીને અસંખ્ય યોગ વડે મને પ્રાપ્ત કરે.
“શુદ્ધાત્મવીરરૂપ મારી પ્રાપ્તિ માટે સર્વ પ્રકારને પુરુષાર્થ સે. મારી લગની જેને લાગે છે તેની મસ્તીમાં સર્વદા મારું વ્યાપકત્વ છે એમ જાણે. શરીર, મન, વાણી વગેરેને આત્મા ધારણ કરે છે અને મૂકે છે. મારા ભક્તો ઉત્તમ દિવ્ય અવતારે. ધારે છે અને મૂકે છે, પણ તેઓ શરીરના ત્યાગમાં અગર ગ્રહણમાં મેહ પામતા નથી; તેઓ તો આત્મવીરરૂપે પિતાને દેખ્યા કરે છે. તેથી તેઓ ત્રણે કાળમાં નાશ પામતા નથી. તેઓ સ્વાધિકાર સર્વ કર્તવ્યકર્મો કરે છે. તે શરીરસૃષ્ટિના જે કર્તા-ભોક્તા હોય છે તે પણ બાહ્ય વ્યવહારથી જાણવા, આંતરદષ્ટિએ તે તેઓ સર્વે જડ-શરીરાદિના કર્તાદિ વ્યવહારમાં નિર્લેપ રહે છે અને આત્મવીરરૂપના ભોક્તા બને છે.”
For Private And Personal Use Only