SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra છૂટા દેખાય છે. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘સત્ત્વગુણુસમૂહના વિરાટરૂપ વિષ્ણુ અનેક પ્રકારે આપની સ્તુતિ કરી રહ્યા છે અને આપના ધ્યાનમાં લયલીન ખન્યા છે. રજોગુણ પ્રકૃતિસમૂહના વિરાટ ચેતનરૂપ બ્રહ્મા આપના વિશ્વરૂપના એક અંશરૂપ જણાય છે અને તે આપની આજ્ઞા પ્રમાણે આપનુ' ધ્યાન ધરે છે. તે આપની શક્તિના અંશને ગ્રહણ કરી શરીરરૂપ જડસૃષ્ટિને ઉત્પન્ન કરે છે. આપની આજ્ઞા પ્રમાણે રજોગુણવૃત્તિઓના સમૂહુરૂપ અનેક બ્રહ્માએ તથા અનેક સત્ત્વગુણુ વૃત્તિઓના સમૂહ અને અનેક આત્મરૂપ વિષ્ણુએ આપનુ ધ્યાન ધરે છે એમ સ્પષ્ટ દેખાય છે. તમેગુણવૃત્તિઓના વિરાટ રૂપધારી અનેક રુદ્રો, મહાદેવા આપ પરમાત્માને અહર્નિશ સ્તવે છે અને આપનું ધ્યાન ધરે છે. 6 અગામ મહાવીર ૮ આય દેશીય અને અનાર્ય દેશીય મહાત્માએ આપ પરમાત્માનું ધ્યાન ધરતા જણાય છે. ચેાસઠ ઇન્દ્રો અને ઇન્દ્રાણીએ સ્તુતિભક્તિ કરતાં જણાય છે. રામચંદ્ર વગેરે ઐશ્વ શાલી મહાપુરુષા આપના તેજમાં તેજરૂપ મળેલા જણાય છે. શ્રી નેમિનાથ પ્રભુના ભક્ત શ્રી કૃષ્ણહરિ આપના ધ્યાનમાં અને આપની આજ્ઞામાં આરૂઢ થયેલા જણાય છે. અખિકા, લક્ષ્મી, કાલી, મહાકાલી વગેરે દેવીએ આપનું ભજન કરતી જણાય છે. સનકાદિક ઋષિચે આપનું ધ્યાન ધરી સમાધિમાં આરૂઢ થયેલા દેખાય છે. વ્યાસ, અંગિરા, ક`મ, વિશ્વામિત્ર, વસિષ્ઠે વગેરે ઋષિએ આપના નામનુ ભજન કરે છે અને આપ પરપ્રા પરમાત્માના ધ્યાનમાં મસ્ત થયેલા દેખાય છે. ચહેાવા વગેરે ભવનપતિ દેવે આપની આાજ્ઞા પામીને, મિથ્યાત્વના ત્યાગ કરી આપનું ભજન-મનન-સ્મરણ કરતાં ખેઠેલા દેખાય છે. અનેક યુદ્ધો પરબ્રહ્મ અને સજીવસમૂહપ આપના સત્ત્વરૂપનું ધ્યાન ધરીને એઠેલા દેખાય છે. For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy