________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર ભાવનાનું સ્વરૂપ
૧૮૭ જે વિશ્વને પ્રેમી બને છે તે મારે મહાભત છે. જે સર્વ વિશ્વના જીવેને આત્મવત્ ગણે છે, તેઓ માટે બને તેટલું કરે છે તથા દેષીઓના દેષ અને દુઃખીઓનાં દુઃખ ટાળે છે, તે તપ-જપ કર્યા વિના કે કોઈ જાતના ધર્માચારને બાહ્ય વેષ ગ્રહ્યા વિના મારે સત્ય ભક્ત બને છે અને હું તેને પ્રાપ્ત થાઉં છું.
“શુદ્ધ પ્રેમીઓ ચેતન્ય અર્થાત વીરના પૂજારીઓ છે. વિશુદ્ધ. પ્રેમીએ પાંચ પ્રકારનાં સ્કૂલ-સૂક્ષ્મ શરીર, ઈન્દ્રિયે અને મનની મયે વ્યાપીને રહેનાર, પ્રાણ અને શાતા–અશાતાથી ભિન્ન તથા દેહમાં પ્રતિષ્ઠિત પણ પાંચ શરીર અને મહાદિ વાસનાઓથી ભિન્ન તથા મન પર જ્ઞાનને પ્રકાશ પાડનાર એવા શુદ્ધાત્મ મહાવીરરૂપ. મને મેળવે છે અને કૃતકૃત્ય બને છે.
મિત્રભાવમાં કોઈ ગુપ્ત વાતનો ભેદ રહેતું નથી. તેથી તમે કોઈની પણ સાથે કપટ ન રાખે, સત્ય વર્તન રાખે. સર્વ છે પર પ્રેમ રાખે એ મારા પર પ્રેમ છે, અને મારા પર, પૂર્ણ પ્રેમ રાખે તે સર્વ જીવો પર પ્રેમ છે. ભેદભાવને ભૂલોતમારા વૈરીએ તમારું અશુભ કરવા સમર્થ નથી. તમે મારા પર વિશ્વાસ રાખો, તે જ મૈત્રીભાવ ધારણ કરવા સમર્થ બની શકે.
પરમાત્મપદ મેળવવા સર્વ જીવોને ખમાવે. મનુષ્ય ! પરસ્પર એકબીજાને ખમો અને વિશ્વમિત્ર–વિશ્વબંધુ બનો, એટલે તમે પરમાત્મપદ પામી શકશે.” ૨, પ્રમોદ ભાવના :
પ્રજાસંઘ! તમે સર્વના ગુણો દેખો. સર્વ જીવોનાં સારાં કાયને દેખો. સર્વ જીવો એકબીજાના પર કેઈપણ રીતે ઉપકાર. કરે તે દેખો. સર્વ જીવોમાં જે અંશે શુભ વૃત્તિઓ ખીલી હોય. તે દેખીને પ્રમોદ પામે, અત્યંત ખુશ થાઓ. દ્વેષીઓમાં જે શુભ હોય તે દેખી ખુશ થાઓ અને અશુભ દેખાય તેની ઉપેક્ષા કરી દોષમાં મૌન રહે. મનુષ્યોની કાળી બાજુએ તે હોય છે. તેમાં કંઈ
For Private And Personal Use Only