________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦. ચાર ભાવનાનું સ્વરૂપ
૧, મૈત્રી ભાવના:
વિશ્વના સર્વ મનુબેએ આત્માની શક્તિઓનો અને સાત્વિક બુદ્ધિને પ્રકાશ કરવા ચાર પ્રકારની ભાવનાઓ ભાવવી જોઈએ.
“મત્રી, પ્રમેહ, માધ્યસ્થ અને કરુણા એ ચાર ભાવનાઓ છે. મિત્રી ભાવના–મિત્રોની પેઠે સર્વ આત્માઓ પર મિત્રબુદ્ધિ, મિત્રવત્ પ્રેમ રાખવો તે મૈત્રી ભાવના છે. પરમાર્થ પ્રેમથી, આત્મપ્રેમથી મનુષ્યો, પશુઓ, પંખીઓ વગેરેને દેખવા અને સ્વાધિકારે બને તેટલું તેઓની સાથે આચરણ રાખવું. વિશ્વના સર્વ જીવો જેના મનમાં મિત્ર પેઠે અનુભવાય છે તે ભક્તિ અને સેવાને પાત્ર બની વિશુદ્ધ પ્રેમાગી અને જ્ઞાનયોગી બન્યો છે એમ જાણવું. સ્વાર્થ પ્રેમની પેલી પાર શુદ્ધ પ્રેમ છે. સાત્વિક પ્રેમીઓ મિત્રી ભાવનાના અધિકારી બને છે. મિત્રી ભાવનાથી વિશ્વ, ખંડ, દેશ, કેમ, સમાજ, સંઘ, વ્યષ્ટિ અને સમષ્ટિમાં પ્રેમભાવ– એકાત્મભાવ પ્રગટી નીકળે છે અને તેથી વિશ્વ, કેમ, સમાજ, સંઘ વગેરેનો ઉદય થાય છે. પિતાના આત્મા સમાન અન્ય જીવો પર પ્રેમ ધારણ કરે. દેશભેદે, આચાર અને ધર્મભેદે, બાહ્ય ઉપાધિભેદે, મનુષ્ય ! તમે એકબીજાને શત્રુ ન કરે અને શ્રેષવૈિરનું વર્તન ન રાખો. તમે સ્વાર્થબુદ્ધિથી, વૈરબુદ્ધિથી, સંકુચિત-દષ્ટિથી તમારા આત્માઓની આસપાસ ભેદ, દુઃખ, ભ્રાન્તિના -મહાકિલ્લાઓ ઊભા કરો છો અને તેથી તમે પિતાના આત્માને પરમાત્મારૂપ બનાવી શકતા નથી.
For Private And Personal Use Only