SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લગ્નવિધિનું સ્વરૂપ ૧૪૧ ન થવા દેવે તથા સર્વ વણેની અને ત્યાગીઓની વિશેષ પ્રકારે સેવા કરવાની ભક્તિ ખીલવવી. “આત્માના વશમાં મનને મૂકવું. દયા, દાન અને દમનને ખીલવવાં. આત્મજ્ઞાન કરી શુદ્ધ પ્રેમ ખીલવવે; પશ્ચાત્ અશુદ્ધ. પ્રેમના નાશરૂપ સત્ય વૈરાગ્ય મેળવપશ્ચાત્ જૈન તત્વજ્ઞાન શ્રવણ કરી આત્મજ્ઞાન પ્રગટ કરવું. ત્યારબાદ આત્મચારિત્ર અને પછી કેવલજ્ઞાન પ્રગટ કરવું. “આ પ્રમાણેની રહેણીવાળા શ્રદ્ધાળુ મનુષ્ય ગૃહાશ્રમી બની શુદ્ધ પ્રેમ અને સત્ય વૈરાગ્ય પ્રાપ્ત થતાં અને ત્યાગની ભાવના પૂર્ણ ખીલતાં ત્યાગી બની શકે છે. ગૃહાશ્રમમાં અનેક સગુણોનું ધામ. બનવું. મનુષ્યો! ગૃહાશ્રમમાં ગુણે અને કર્તવ્યથી લાયક બને. જ્યારે વિશ્વમાં, દેશમાં, સમાજમાં, પુરુષે કરતાં સ્ત્રીઓની. ત્રણચાર ઘણું સંખ્યા વધી પડે છે અને તેથી એક પત્ની કરતાં. વધારે પત્ની ન કરવામાં આવે તે સંસારમાં વ્યભિચારાદિ અત્યાચાર વધવાનો પ્રસંગ આવે છે, ત્યારે રાજા, પ્રજા ઉભય મળીને એક કરતાં અધિક પત્ની કરવાનો ઠરાવ કરે છે અને જ્યારે બંનેની સંખ્યામાં સમાનતા આવે છે ત્યારે એક પત્નીવ્રતરૂપ ઉત્સર્ગનીતિમાર્ગના વ્યવહારનો ઠરાવ કરવામાં આવે છે. “ગૃહસ્થાશ્રમીઓ બગડે છે ત્યારે ગૃહસ્થાશ્રમમાં . પરિવર્તન કરવામાં આવે છે. તે જ રીતે ત્યાગાશ્રમીએ બગડે છે ત્યારે ત્યાગીઓને સુધારવા પરિવર્તન કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રો વગેરે શાસ્ત્રોમાં જ્યારે પાછળથી મિશ્રતા થાય છે અને અનેક ઊલટા અર્થ, કે જે દેશ, કાલ, ધર્મથી તેમ જ દેશ, કેમ, સમાજ, રાજ્યથી વિરુદ્ધ હોય છે, તેવા કરવામાં આવે છે અને તેથી દેશ, વિશ્વ, સમાજ, સંઘ, રાજય, પ્રજા, ધર્મને નાશ થવાને પ્રસંગ આવે છે, ત્યારે તીર્થંકર પ્રગટ થાય છે. તેઓ સર્વજ્ઞ For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy