________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. માનવ કર્તવ્ય
રાજકુમારેનું કર્તવ્ય :
આર્ય રાજકુમારોએ કહ્યું : “આર્ય વીર પ્રભો! રાજ્ય, રાજકુમાર અને ક્ષત્રિનું કર્તવ્ય આપના આશય પ્રમાણે શું છે તે સમજાવશે.”
વીર પ્રભુએ ઉત્તર આપતાં કહ્યું : “આર્ય રાજકુમારો ! મારો ઉપદેશ શ્રવણ કરે. દેશની, પ્રજાની, ધર્મની ઉન્નતિ કરે તેને રાજ્ય કહે છે. પ્રજાનું સ્વાતંત્ર્ય રક્ષે અને પ્રજાની સર્વ પ્રકારની ઉન્નતિ કરે તેને રાજ્ય જાણવું. જે રાજ્યથી દેશ, પ્રજા, ધર્મનું રક્ષણ ન થાય તે રાજ્ય ગણાય નહીં.
“સર્વ દેશના ઋષિઓ, મહાજનો, મુનિઓ અને પ્રજા જેને પસંદ કરે અને જે આત્મભેગ આપીને પ્રજાનું શ્રેય કરે તે રાજા થઈ શકે છે. તેવા ઉત્તમ રાજાના પુત્ર તેર કળાનું શિક્ષણ પામેલા અને પ્રજાની આંતરડી ઠારનારા હોવા જોઈએ. માજશેખને ત્યાગ કરીને તે પ્રજાની ઉન્નતિ માટે રાતદિવસ પ્રયત્ન કરનારા અને પરસ્ત્રીને મા, બહેન, પુત્રી સમાન ગણનારા હોવા જોઈએ. ન્યાયનીતિએ ચાલનારા અને પિતાની સત્તાને દુરુપયોગ નહીં કરનારા તથા વ્યસનથી દૂર રહેનારા રાજકુમારે રાજા થવાને લાયક બને છે. અનેક પ્રકારનાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરનારા અને ત્યાગી મહાત્માઓ દ્વારા ધામિક કેળવણી પામી. મહાન પદને પ્રાપ્ત કરનારા રાજકુમારો જાણવા. માતા, પિતા, ધર્મગુરુ, કલાચાર્ય અને પ્રજાસંઘની સલાહ પ્રમાણે વર્તનારા
For Private And Personal Use Only