SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદ ગ્રહસ્થ જીવન ભવનાં બાંધેલાં પાપકર્મો ટળી જાય છે અને શુભ કર્મોને બંધ પડે છે. કાયા કરતાં વાણુનું બળ અગાધ છે, વાણું કરતાં વિચારોનું બળ અગાધ છે અને વિચારક મન કરતાં આત્માનું બળ અનન્તાનન્તગણું વિશેષ છે. અશુભ વિચારોનું બળ મનમાં ઉત્પન્ન થાય છે. અને તેથી અશુભ અવતારની પ્રાપ્તિ થાય છે. શુભ વિચારોના આત્મિક બળ વડે અશુભ વિચારોને મનમાં પ્રગટ થવા ન દે. અશુભ વિચારો અસુર સમાન છે અને શુભ વિચારે દેવે જેવા છે એમ આત્મસૃષ્ટિમાં ઊંડા ઊતરીને નિશ્ચય કરે. “શત્રુઓ વિશે પણ અશુભ વિચારે ન કરે, પરંતુ તેઓને કર્તવ્યકર્મથી પાછા હઠાવે. શત્રુઓ ઉપર પ્રેમના, મૈત્રીના વિચારે કરે. તેથી તેઓનો આત્મા પ્રેમી મિત્રના રૂપમાં ફેરવાઈ જશે. તમારા વિચારબળને શુભ કાર્યોમાં વાપરો. તમારી સૃષ્ટિ શુભ બનાવવી અગર અશુભ બનાવવી તે તમારા શુભઅશુભ વિચારબળ આધાર રાખે છે. પૃથ્વી, પાણુ, અગ્નિ, વાયુ, આકાશ પર શુભ વિચારની. અને અશુભ વિચારની અસર થાય છે. વ્યષ્ટિ અને સમષ્ટિના શુભ વિચારેને સમૂહ એ વિશ્વને વીરપ્રભુ છે. વ્યષ્ટિ અને સમષ્ટિના શુભ વિચારોના બળથી સંસારની ઉન્નતિ થાય છે અને અશુભ વિચારોના સમૂહબળથી અવનતિ થાય છે. વિચારોથી શરીરે, વાણું વગેરે પ્રકટે છે. મન એ જ સંસારસ્પત્તિનું મૂળ બ્રહ્યા છે. ભક્તો ! મારા પર પૂર્ણ વિશ્વાસ રાખીને તમે શુભ વિચારોનો પ્રવાહ વહેવડાવો. દુષ્ટને, પાપીઓને શુભ વિચારનું સામર્થ્ય સમજાવો. વિચારનું ફળ આચાર છે, માટે વિચારનું સૂફમ સ્વરૂપ સમજે. દેશની, કેમની સમાજની, સંઘની, રાજ્ય-વ્યાપારાદિકની. ઉન્નતિ કરનાર શુભ વિચારોનું બળ છે, માટે મારા કહેલા સદ્. For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy