________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર અને દુષ્કાળાદિ પ્રસંગમાં આપદુધર્મથી પણ તરતમાગે આજીવિકા ચલાવવી અને એકબીજાને ખાવા-પીવા આપવું.
“મારા ભક્તોએ અનાર્ય પ્રજાને સુધારવા માટે અને તેઓને આર્ય કરવા માટે અનાર્ય દેશમાં ગમન કરવું અને ત્યાં જૈનધર્મની પાઠશાળાઓ સ્થાપવામાં કરોડો, અબરે સુવર્ણમુદ્રાએને વ્યય કરે. મારા રાગી ભક્તોએ અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, કીર્તિદાન અને ઉચિતદાન આપવામાં કદી પાછી પાની કરવી નહીં. મારા ભક્તોએ રાજ્યવ્યવસ્થા કરવામાં વિત્તનો -વ્યય કરે અને કેઈ મનુષ્યને અન્યાય ન થાય એવા રાજ્યવ્યવસ્થાના કાયદાઓ બાંધવા.
“મારા ભક્તોએ મારા વડે પ્રકાશિત થયેલ તને અભ્યાસ કર અને ક્ષેત્રકાલાનુસારે સંકુચિત દષ્ટિએને ત્યાગ કરી વિશાળ દષ્ટિએને ધારણ કરવી તથા બાહ્ય સત્તાઓને પોતાના તાબામાં રાખવી. તેમાં અલ્પ દોષ અને મહાન લાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી. -મારા ભક્તોને સ્વાધિકારે રાજ્યાદિ કર્મ સેવતાં દેષ લાગતો નથી, પરંતુ ઊલટો મહાલાભ પ્રાપ્ત થાય છે. માટે તેઓએ એવા કર્મમાં આત્મદાન દેવું અને પાપી, દુષ્ટ લેકેથી ધર્મસત્તાનું રક્ષણ કરવું. મારા ભક્તોએ વેશ્યા વગેરે કુપાત્રમાં દાન ન આપવું અને ધમજનેનું પોષણ કરવું.” પ્રામાણિકતા :
મનુષ્યએ મન, વાણી અને કાયાથી પ્રામાણિકપણું ધારણ કિરવું. પ્રામાણિક મનુષ્ય મારા આત્મારૂપ છે. જે મનુષ્ય દ્રોહી, વિશ્વાસઘાતી, પ્રપંચી, દંભી છે તે મારે ભક્ત બની શકતો નથી. મારી આજ્ઞા ઉઠાવનાર સર્વ દેવો અને સર્વ દેવીઓ પ્રામાણિક મનુષ્યની પ્રશંસા કરે છે અને તેને સહાયતા કરે છે. જે મનુષ્ય પ્રામાણિક નથી તે મનુષ્ય કહેવરાવવાને માટે પણ લાયક નથી. અપ્રામાણિક મનુષે નારકીના દુઃખોની સજાને પામે છે અને તેઓ
For Private And Personal Use Only