________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશ ગૃહસ્થ જીવન
cr
વગેરેની સગવડ કરીને લેાકેાનાં દુઃખ ટાળવાં જોઈએ. મારા ભક્તોએ આરામ, બગીચા વગેરે બનાવીને લેાકેાને આરામ આપવો જોઈ એ. મારા ગૃહસ્થ ભક્તોએ અંધા, લૂલા, ખહેરા મનુલ્યે! માટે શાળાઓ સ્થાપવી અને મુસા માટે સત્ર જ્યાં ત્યાં ધ શાળાએ સ્થાપવી. મારા ભક્તોએ ગાંડા મનુષ્યેા માટે ગૃહે સ્થાપવાં અને તેઓની સારવાર કરવી. મારા ભક્તોએ પશુએ અને પ`ખીએ, કે જે માંદાં, અશક્ત, અંધ, લૂલાં હોય, તેઓ માટે પશુશાળા સ્થાપવી અને તેઓની વૈદે પાસે દવા વગેરે કરાવવાની વ્યવસ્થા કરવી. અનાથ, ગરીબ મનુષ્યા માટે ધર્મશાળાઓ સ્થાપવી અને તેનાં દુઃખ ટાળવા શારીરિક, માનસિક અને ધન-શક્તિનુ દાન આપવું.
‘મારા ભક્તોએ પવિત્ર ઉપયાગી વૃક્ષેાને જેમ અને તેમ નાશ થતા અટકાવવો. મારા ભક્તોએ જાહેર માર્ગો પર આંબાનાં વૃક્ષા, વડનાં વૃક્ષેા, પીપળાએ, લીમડાએ વાવવાં અને મનુષ્યેાના સુખની સગવડ કરવામાં લક્ષ્મીના વ્યય કરવો. મારા ભક્તોએ સ્મશાનમાં વૃક્ષેા વાવવાં અને ત્યાં ત્યાગીઓને રહેવા માટે વૈરાગ્યામે આંધવા. મારા ભક્તોએ મારા નામના જાપ જપનારા તથા મારું ધ્યાન ધરનારા ઋષિઓ, કે જે પતાની ગુફાઓમાં વસતા હાય, નદીકાંઠે, તળાવ-સરવરકાંઠે વસતા હોય, સમુદ્રફ્રીપેામાં વસતા હોય, ગમે તે સ્થાનમાં, ગમે તે વૃક્ષ નીચે વસતા હોય, તેઓને અન્ન-વસ્ત્ર-પાત્રાદિનું દાન આપવું અને તેની પૂર્ણ પ્રેમથી સેવા કરવી, મારા ભક્તોએ કુપાત્રોને દાન ન આપવુ', મારા ભક્તોએ સાધુઆને, સાધ્વીઓને પૂર્ણ ભક્તિથી દાન દેવું. મારા ભક્તોએ ત્યાગી, ફકીર, મહાત્માઓને ભાજન કરાવીને ખાવુ અને તેઓને સતાવવા નહીં તેમ તેઓના અશુભ આશીર્વાદ લેવા નહીં.
‘મારા ભક્ત એવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને ત્યાગીવશે એકીક્તની પરસ્પર સહ્રાય કરવામાં પ્રાણાદિકના ત્યાગ કરવે
For Private And Personal Use Only