________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. આદર્શ ગૃહસ્થ જીવન દાન :
“ગૃહસ્થ ! તમારા ગૃહાવાસનું મુખ્ય ફલ દાન છે. સાધુએને, અતિથિને દાન આપી જમવું જોઈએ. પોતાને ઘેર પધારેલ ત્યાગીઓનું સન્માન કરવું અને તેઓને પૂર્ણ ભાવથી દાન આપવું. સાધુઓને દાન આપવાથી અનંતગુણ ફલ પ્રાપ્ત થાય છે. ત્યાગીએને અન્ન, વસ્ત્ર, ઔષધ, વસતિ વગેરેનું દાન કરવાથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ પ્રેમેલ્લાસે દાન આપવું જોઈએ. વિદ્યાર્થીઓને વિદ્યા વગેરેનું દાન આપવું. અતિથિઓને દાન આપવું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને સન્માનપૂર્વક પિષવા. વિદ્યાદેહી બ્રાહ્મણને અન્ન-વસ્ત્રાદિકનું યથાશક્તિ પ્રેમપૂર્વક દાન આપવું. દાનને પ્રતિબદલે ઇચ્છીને લેનારને દાન ન આપવું, પરંતુ પ્રતિબદલાની ઇચ્છા વિના મારી પ્રાપ્તિ માટે દાન આપવું.
“જ્ઞાનદાન, વિદ્યાદાન, અન્નદાન, ભેજનદાન, વસ્ત્રદાન, ધન-દાન, ઔષધદાન વગેરે દાને પિકી જેને જે દાન એગ્ય હોય તેને તે દાન આપવું. તેમાં આનંદ માન. દાનથી ત્યાગની સિદ્ધિ થાય છે. જે દાની બને છે તે ત્યાગી બને છે. જે દાની છે તે પરોપકારી તથા પ્રેમી છે. જે દાની છે તે ઉદાર ભાવનાવાળે છે. દાની સમાન કેઈ મહાન નથી. જે દાની છે તે મારે સત્ય ભક્ત છે. જે મન, વાણી, કાયા, ધન વગેરેનું દાન કરે છે તેના આત્માની શીવ્ર ઉન્નતિ થાય છે. પરસ્પર લેવું અને દેવું, એ અનાદિસિદ્ધ -વ્યવહાર છે. તેમાં જે કંજૂસાઈ કરે છે તે આત્માને પ્રકાશ કરી શકતો નથી અને જે ઉદાર બને છે તે આત્માને પ્રકાશ કરીને મારા
For Private And Personal Use Only