SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કાવાલ સુબોધ-ન. (૩૭) નબળાઈ તે મૃત્યુ ભીતિ, મરવાથી ડરવું તે જાણ!! નબળાઈ તે દેહાધ્યાસજ, પાપવડે ધરવા નિજ પ્રાણ ૮ નબળાઈ તે હિંસા ચારી, વ્યભિચારને જૂઠો ગર્વ, નબળાઈ તે બીવું ડરવું, જડમાંહી ગણવું નિજ સર્વ. ૮ક્ષા નબળાઈ તે જૂઠી મમતા, સ્વાર્થ માંહી રહેવું ગુલતાન નબળાઈ તે પરોપકારે, વાપરવું નહિં તન ધન પ્રાણું છે નબળાઈ તે પરાશ્રયી થઈ, ગુલામી જીવન ગાળવું એક નબળાઈ તે પરતંત્રતા, ભેગાસક્તિ ગણે છે તેહ. પલા નબળાઈ તે નીતિ તજવી, અધમ્મ ધારણ કરે કામ; નબળાઈ તે દુર્તપણું છે, અંતર્ રહેવું નહિં નિષ્કામ. ૨૨ નબળાઈને ટાળે!! આતમ?, ધારો!! આતમની સબળાઈ; નબળાઈ નામર્દીપણું છે તેથી પડતી છે દુઃખદાઈ. ૯૩ નામર્દો કહિ સંત ન થાવે, નામ પામે નહિં જ્ઞાન નામર્દો ભક્ત નહિં થાવે, નામર્દોમાં છે નહિં તાન. ૯૪ નામર્દો મરવાથી બીવે, ગ્રહસ્થને ત્યાગી નહિં થાય; નામર્દો જીવનના સ્વાથી, પડતીમાંહી ચાલ્યા જાય. ૯પા નામર્દોમાં શક્તિ નહિં છે, નામમાં નહિં વૈરાગ્ય; નામમાં દયા દાન નહિં, સાહસ શૂરપણું નહિં જ્ઞાન. છેલ્લા નામર્દો છે ગાડરીયા સે, જ્યાં ત્યાં બીવે નાશી જાય; નામદ ભાગે છે ભયથી, કર્તવ્યથી ભ્રષ્ટજ થાય. પછી નામર્દો રક્ષે નહિં કેને, સબળાઓના બને ગુલામ; નામર્દો જર જેરૂ ન ર, નામર્દો રક્ષે નહિં દામ. નામર્દો ઘરબાર ન રક્ષે, નામર્દો રક્ષે નહિં ધર્મ, નામર્દો નહિં દેશને રક્ષે, નામદમાં ભારે ભમ. છે છે નામર્દો અતિકામી બૂરા, દેશ કે મને કરે વિનાશ; નામર્દો ત્યાગી નહિં થાતા, ધારે નહિં પ્રભુમાં વિશ્વાસ. છે. ૧૦૦ નામમાં દૈન્યપણું છે, મૃત્યુ બીકથી ભાગી જાય; નામર્દો રણમાંથી ભાગે, જીવનના સ્વાર્થોને હાય. ૧૦૧ છે For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy