________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वर्णनम्.
વળી જે દેશની અંદર મહાન્ પવિત્ર અબુદાચલ (આબુ પર્વત) શોભી રહ્યો છે, જે પવિત્ર ગિરિરાજ શ્રીમાન તીર્થકર ભગવાનના અભુત મંદિરેથી અતિશય શોભા આપે છે, જેથી તત્ત્વજ્ઞાની અનેક મુનિવરે જેના દર્શન માટે વિચરીને જેની સેવા કરી રહ્યા છે, તેમજ જે ગિરિની અંદર અનેક પ્રકારના વૃક્ષે, દિવ્ય ઔષધિઓ અને વિચિત્ર વેલીઓ હયાતી ધરાવે છે, તેમજ જે ગિરિ અતિ ઉન્નત શિખરના અગ્રવડે આકાશને સ્પર્શ કરવાને ઉત્કંઠા ધરાવતો હોય તેવો દેખાવ આપે છે. ૪. श्रीतारङ्गधराधरो विजयते देशं पुनानः पुनः,
सिद्धिस्थानमिमं पुरातनमहातीर्थोत्तमत्त्वं गतः । यस्मिन् राजति भव्यमूतिरजितस्तीर्थङ्करः कामितं,
भव्यैर्दर्शनतः शुभाशयजुषैर्यस्याऽनिशं लभ्यते ॥५॥ . વળી જે ગુર્જર દેશને શ્રી તારંગાજી ગિરિરાજ હંમેશાં પવિત્ર કરી રહ્યો છે, જે ગિરિની અંદર સર્વ સિદ્ધિઓ નિવાસ કરે છે, પ્રાચીન તેમ જ અતિ ઉત્તમ મહાન તીર્થ સ્થળ તરીકે જે ગિરિ સર્વત્ર પ્રસિદ્ધ છે, જેની અંદર ભવ્ય ભૂત્તિમય શ્રીમાન અજિતનાથ ભગવાન વિરાજે છે, જેમના દર્શનથી શુભ આશયવાળા ભવ્ય પુરૂષોના મનોરથ હંમેશાં સિદ્ધ થાય છે. પ. सौराष्ट्रे सुपवित्रसाधुनिकरैः संसेवितो रैवत,
ऊर्वीभृद्वरमाननीयमहिमा पुण्यार्थिनां पावनः । देवानां स्पृहणीयभूरिविभवो यात्रार्थिनां शर्मदो
दीव्यानन्दमयः सदा विजयते श्रेयोर्थिनां शान्तिदः ॥ ६ ॥
તેમ જ જે દેશના અંતર્ગત રહેલા સૌરાષ્ટ્ર(કાઠીયાવાડ)માં વિશુદ્ધ આશયવાળા પવિત્ર મુનિવરેથી લેવાયેલ રૈવતક (ગિરિનાર) ગિરિ મહા પવિત્ર હંમેશાં વિજયશાળી વર્તે છે, જેને મહિમા સર્વ સ્થળે પ્રસિદ્ધ અને માનનીય છે, પુણ્યના અભિલાષી જનેને
For Private And Personal Use Only