________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) મંદિર તથા ધર્મક્રિયાઓ ચાલી જાય તે જૈનધર્મ ખરેખર વ્યવહાર નયથી ભ્રષ્ટ થવાથી એક ક્ષણ પણ જીવી શકે નહિ અને જેને પણ જૈન તરીકે રહી શકે નહિ. જીનમંદિર તથા જીનેશ્વરની ભક્તિ તથા સંઘના ભકિત એ સર્વ ધર્મ વ્યવહાર છે અને તેનો લોપ કરવાથી જન ધર્મ અને જૈન સંઘને ઉછેદ થાય છે. એક જેને ભેળાભાવે અન્ય ધમી એને ખુશ કરવા માટે તથા પોતાના પક્ષમાં રાખવા માટે વિષ્ણુમંદિર બંધાવી આપ્યું હતું અને તે સ્થાનકવાસી જૈન હતો અને પછીથી તેના પુત્ર થયા તેઓએ તે એમ માની લીધું છે કે અમારા બાપદાદા વૈષ્ણવ ધર્મ પાળતા હતા. કારણ કે તેમણે વિખશુમંદિર બંધાવ્યું છે એમ માનીને પાછળથી તે વૈણવ બની જેવા જેવી સ્થિતિમાં આવ્યા છે, માટે જેને પોતાના ધર્મમાં સ્થિર કરવા માટે જૈનમંદિર વિગેરેની ઉપયોગિતા છે, કારણકે પાછળની સંતતિને પણ મંદિર વિગેરેથી ઘણો લાભ થાય છે અને વડી લોના ધર્મની પરંપરાને લીધે જેનધામમાં ૬૮ રહી શકે છે એમ સુજ્ઞજને સહેજે સમજી શકશે.
મહાત્મા ગાંધીજી પણ મૂતિની માન્યતાને સ્વીકારે છે. શ્રીમદ્ રાજચંદ્ર કે જેના નામે રાજચંદ્ર પન્થ ચાલે છે, તેમણે પણ મૂતિ માન્યતાને સ્વીકાર અમુક અપેક્ષાએ પણ ક્યો એમ તેમના કેટલાક ભકત કહે છે. પહેલાં બન્ને કોમના વિદ્વાન સાધુઓ વગેરે એ પોતાની માન્યતાના ગ્રન્થ લખ્યા છે. હવે તે જૈન જગ
ની દષ્ટિ બીજી અનેક બાબતો પર લાગી રહી છે. શ્રીમદ્ આનંદઘનજી જેવા મહા અધ્યાત્મજ્ઞાની મુનિએ પણ નવમા શ્રી સુવિધિનાથના સ્તવનમાં મૂર્તિપૂજાને જૈન શાસ્ત્રાધારે સિદ્ધાંત માન્ય કર્યો છે અને તે ઉપદિશ્યો છે.
મૂર્તિ પૂજાથી હિંદની અગર જૈન કેમની પડતી થઈ નથી. યુરોપમાં પણ સઘળા દેશમાં ઈશુક્રાઈસ્ટ વગેરેની મૂર્તિપૂજા તથા દેશભક્ત વીની મૂર્તિ કરવાની અને તેને માન આપવાની માન્યતા ચાલે છે. શ્રી હનુમાન જેવા વીરપુરૂની બ્રહ્મચારીઓની, ગામમાં પ્રવેશતાં હિંદમાં જ્યાં ત્યાં મૂર્તિ દેખાય છે. તે મૂર્તિ દ્વારા આપણે તેમના જેવા સ્વામી ભક્ત, પરાક્રમી, બ્રહ્મચારી બનવું જોઈએ એમ તે મૂર્તિ જણાવે છે.
For Private And Personal Use Only