________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) છે તે વસ્તુ પુજાય છે અને તે માનની દૃષ્ટિએ જોવાય છે, મુસલમાને કુરાનને માને છે અને કુરાનના અક્ષરે અક્ષરને સત્ય માને છે, અને તેનું કેઈ અપમાન કરે અગર કે તેના પરથું કે તે તે તેઓ આકારવાળા કુરાનનું અપમાન કરવાથી મુસલમાને ગુસ્સે થાય છે અને તેમને શિક્ષા આપે છે. તે પણ એક જાતની મૂર્તિપૂજાજ છે. મુસલમાને મક્કાને પવિત્ર માને છે, અને તે ઉપર બહુ પ્રેમ ધારણ કરે છે અને તે દિશા તરફ મુખ રાખીને નમાજ પડે છે તે પણ એક જાતની મૂર્તિપૂજાજ છે. કુરાનના પુસ્તક ઉપર કુલ ચઢાવવાં તથા મોટા મોટા પરની કબ્રની માનતા માનવી અને તેના ઉપર કુલ ચઢાવવાં તથા તેના એરસ ઉજવવા તે પણ એક જાતની મૂર્તિપૂજા છે. તથા તાજી કરવા તે પણ એક જાતની પ્રેમવડે થતી મૂર્તિપૂજા છે. કારણ કે તે તે વસ્તુઓ ઉપર તેમને પ્રેમ હોય છે તથા મક્કાની પાસે પત્થર છે જેના ઉપર મહમદ પેગંબર સાહેબ બેઠા હતા ત્યાં યાત્રા કરવા જનારાઓ તેને પ્રેમથી ચાહે છે અને પ્રેમના આવેશમાં કેટલાક તેતે પત્થરને ચુમ્બન કરે છે, તે એક મહમદ પેગંબર સાહેબના પ્રેમની પ્રતિમા પૂજાજ છે. મોટા મોટા રોજ અગર તાજમહાલ બનાવવા, મોટી મોટી કબરે કરવી એ એક પ્રકારની પ્રભુના નામ અને પ્રેમીના નામે થતી મૂર્તિ પૂજ છે, અગર પ્રતિમા પૂજા છે. સારાંશ કે ભક્ત મનુષ્ય પોતાને પ્રેમ, પ્રેમી ઉપર અને પૂજ્ય પ્રભુ ઉપર ગમે તે રીતે દર્શાવે છે અને તેના આકાર વિગેરેને માન આપે છે અને તેમાં પૂજયને પ્રેમ યા પ્રતિબિંબ નિહાળે છે, એ અનાદિ કાળને કુદતને કાયદો છે તે કેઈનાથી ટાળે ટળતો નથી અને તેના સામા પડવાથી કે જાતને ફાયદો થતો નથી. કોઈને કોઈ રૂપે જગતના લેકે પ્રતિમાન પૂજા કરે છે અને પૂજા કર્યા વિના કોઈ જીવ રહી શકતો નથી. બદ્ધો ને પ્રેમ બુદ્ધ ભગવાન્ ઉપર હોય છે. અને તેથી ૪૮ કોડ બદ્ધો મૂર્તિ પૂજાને માને છે, અને તેઓ આકારવાળા ઈવરને–બુદ્ધ ઘણું માન આપે છે અને તેનાં હજારો દેવળે વિવમાં જયાં ત્ય વિદ્યમાન છે. મિસરના પ્રાચીન લોકોએ પણ પ્રેમરૂપ ભૂતિ પૂજાના સમરણ તરીકે કરાવેલી પિરામીડે હાલ પણ આખી દુનિયા નું ધ્યાન ખેંચે છે. ચાર વેદમાં પણ મૂર્તિપૂજાનું મહત્વ જ્યાં ત્યા
For Private And Personal Use Only