________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) जैनसूत्रमा मूर्तिपूजाभक्ति.
પ્રેમ એજ મૂર્તિપૂજાનું કારણ છે. જ્યાં સુધી જગતમાં પ્રેમ છે ત્યાં સુધી મૂર્તિપૂજા છે જ. જેના ઉપર પ્રેમ થાય છે તેની મૂર્તિ ઘડાય છે અને તે પૂજ્ય બને છે. પ્રેમ અંતમાંથી પ્રગટે છે. રાજેશશું પ્રેમથી રજોગુણ દેવની મૂર્તિ પૂજાય છે. તમે ગુણ પ્રેમથી તમેણુ| દેવની મૂર્તિ પૂજાય છે અને સત્ત્વગુણું પ્રેમથી સત્વગુણ દેવની મૂર્તિ પૂજાય છે. સાકાર પ્રેમથી સાકાર મૂર્તિની પૂજા છે, અને નિરાકાર પ્રેમથી નિરાકારની પૂજા થાય છે. સાકાર પ્રતિમા પૂજવાથી નિરાકાર પ્રભુના પ્રેમમાં જવાય છે. જેના ઉપર પ્રેમ હોય છે તેની મૂર્તિ હૃદયમાં ખડી થાય છે અને તેની પાસેથી પ્રેમી મનુષ્ય જે શીખવાનું હોય છે તે શીખી લે છે. પ્રેમ વિના સેવાભકિત વિનય વિગેરે ગુણે આવતા નથી. બાવન અક્ષર પણ જ્ઞાનની પ્રતિમાઓ છે, ભાષા વર્ગણના પુગલે પણ પ્રતિમાઓ છે. ધર્મશાસ્ત્રો પણ અક્ષરોની પ્રતિમા છે. સૂક્ષ્મ અને સ્થલ એમ અનેક પ્રકારની પ્રતિમાઓ છે. પ્રેમીપૂજ્યનું નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ ભેદે જે સ્વરૂપ છે તે પ્રતિમા છે. ઈશ્વરની પ્રતિમારૂપ જ્ઞાની મનુષ્ય છે. પરમેશ્વરને પ્રતિનિધિ મનુષ્ય છે. જે મનુષ્ય કેવળજ્ઞાની સર્વજ્ઞ થાય છે તે પરમાત્મા છે. તેના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપા. પૂજ્ય છે. પ્રેમીભક્ત મનુષ્ય, પ્રતિમામાં પ્રભુ જોઈ શકે છે, જેનામાં પ્રેમ નથી તે પ્રતિમામાં પ્રભ જોઈ શકતા નથી પ્રીસ્તિઓએ બાઈ. બલના આધારે ઈશુક્રાઈસ્ટ અને મરીયમની પ્રતિમાઓ બનાવી છે અને પૂજે છે. રેમન કેથલિક ખ્રીસ્તિઓનાં જ્યાં ત્યાં યુરોપમાં મેટાં મોટાં મંદિરો હોય છે અને ત્યાં ઈશુક્રાઈસ્ટ અને મરીયમની પ્રતિમાઓ બેસાડેલી હોય છે અને પ્રોટેસ્ટંટ મતવાદી પ્રીતિઓના પણ બાઈબલમાં ઇશુક્રાઈસ્ટના શબ્દોને પ્રભુની પ્રતિમારૂપ માને છે અને બાઈબલ પણ શબ્દરૂપ હોવાથી તેની માન્યતા તે વસ્તુતઃ મૂર્તિ પૂજા જ છે. ઈશુખ્રિીસ્તે કીસને પવિત્ર માને છે અને તે પણ પ્રેમ ધારણ કરે છે તે પણ એક પ્રકારની જડ મૂર્તિપૂજાજ છે. જ્યાં પ્રેમ
For Private And Personal Use Only