________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનેપનિષ
વધારા કરવા પડે છે. જૈન સાધુઓના મૂલવતેની સાથે વિહારપદેશાદિ પ્રવૃ ત્તિમાં જૈનધર્મની વૃદ્ધિ થાય એવા ઉદાર ભાવથી પ્રવૃત્તિ થવી જોઈએ, જૈન સાધુઓ, જૈનાચાર્યો સર્વત્ર સર્વદેશમાં વિહાર કરીને સગવડતા પૂર્વક ઉપદેશ આપી શકે એવા ઉદાર વિચારેને અને આચારેને જમાનાના અનુસાર ધારણું કરવા જોઈએ. ઉદારવિચારાચારથી જૈનેની સર્વ બાબતમાં વિશાલતા થાય છે. ઉદાર વિચારોથી સ્વતંત્રતાની પ્રાપ્તિ થાય છે. ઉદારાશથી ઉદાર થવાય છે. જેના ઉદાર આશ નથી તેની પરંપરામાં ઉદારતા આવતી નથી. જેના ઉદાર આશય છે તેના ધર્મમાં અન્ય મનુષ્યો ભળે છે. જૈન ધર્મના આચારેમાં ઉદારતા સમાયેલી છે તથા જૈનધર્મનાં તમાં ઉદારતા સમાયેલી છે. દુનિયામાં પ્રવર્તતા સર્વધર્મોને અનેક ઉદારસાપેક્ષદષ્ટિોથી પિતાનામાં સમાવી દેનાર જૈનધર્મની અંતર ઉદારતાને કણ પ્રાપ્ત કરી શકે તેમ છે? જેઓ વ્રતપ્રત્યાખ્યાન ન કરી શકે તે દેવગુરૂની ભકિત કરીને ચતુર્થી ગુણ સ્થાનકાવતિ જૈન તરીકે રહી શકે અને જે એકાદિ અણુવ્રત્તધારણ કરી શકે તે અણુવ્રત ધારી જેને કહી શકાય. સાધુઓનાં વ્રત ધારણ કરે તેઓ મુનિ કહી શકાય ઈત્યાદિ અધિકાર પરત્વે ઉદારતાથી મુક્તિમાર્ગની વ્યાખ્યા કરનાર જૈનધર્મ છે. સર્વ જૈનેને એક સરખે વિચાર અને એક સરખો આચાર હોતો નથી. અનેક સ્વાતંત્રને સંરક્ષનાર જૈન ધર્મ છે. જૈનધર્મનું ઉદાર સ્વરૂપ છે. જૈનધર્મનું સ્વરૂપ જાણ્યા વિના હાલમાં કેટલાક પ્રવર્તતા સંકુચિત વિચારાચારેથી જેઓ જૈનધર્મની સંકીર્ણતા સમજે છે તેઓએ ઉદાર વિચારમય તથા ઉદાર આચારમય જૈનધર્મનું સ્વરૂપ જાણવું જોઈએ. અને સત્ય જેને બની ઉદાર વિચારાચારધારક બનવું જોઈએ.
ગાયનીતિરીતિરક્ષા આ જૈને આર્ય નીતિરીતિના રક્ષક હોય છે. સનાતન આર્યો જેને છે તેઓ ઋષભદેવના સમયથી આર્ય હિંદુસ્થાનમાં વસનાર છે. કેટલાક લોકો મધ્ય એશિયાખંડમાંથી હિંદુસ્થાનમાં આવ્યા તે વખતનું કાગવેદાદિમાં વર્ણન છે. ઋગવેદના ત્રષિ કરતાં હિંદુસ્થાનમાં પૂર્વ કાલથી વસનારા જેન આર્યોના વદો અનાદિકાલના હતા. ઠેઠ ઋષભદેવ પ્રભુના પુત્ર ભરત રાજાએ વેદો બનાવ્યા ત્યારથી જેને હિંદુસ્થાનમાં વસતા હતી તે આર્ય સનાતન જૈને છે તે આર્ય સનાતન જૈનેના નિગમોમાં અને જેના મેમાં જૈનશાસ્ત્રમાં આર્ય નીતિરીતિને અનુભવ કરે
For Private And Personal Use Only