SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનેપનિષદ નવા જૈનને બનાવવાથી સિધચલના ઉદ્ધાર, જેટલું ફલ થાય છે. જેને પર તીર્થોની અસ્તિતાને આધાર રહે છે. જૈન થએલા મનુષ્યોમાં એકદમ સર્વ ગુણ ખીલી શકે એવો નિયમ નથી, પરંતુ શનૈઃ શનૈઃ ગુણે ખીલવીને તે કેટલાક ભવે જિન બને છે માટે જેને સંખ્યાની વૃદ્ધિમાં જિન વૃદ્ધિની શ્રાહામાન્યતા ધારવી જોઈએ અને એવી માન્યતાથી જૈનોની સંખ્યા વૃદ્ધિના સર્વ વિચારને અને પ્રવૃત્તિને સેવવી જોઈએ. प्रतिवर्षमहासंघपूजावात्सल्यकारकाः વર્ષ વર્ષ પ્રતિ ચતુર્વિધ મહાસંધની પૂજા અને તેનું વાત્સલ્ય કરનારા ગૃહસ્થ જેને હેાય છે. મહાસંધમાંથી તીર્થંકરે પ્રગટે છે. તીર્થ કરે પણ મહાસંધને જપે છે. મહાસંધના સમાન કોઈ વિશ્વમાં મહાન નથી. મહાસંઘની પૂજા કરવાથી તીર્થંકરાદિ પદવીઓની પ્રાપ્તિ થાય છે. વસ્ત્ર, ફલ, નાણું વગેરેથી મહાસંધની પૂજા કરવી જોઈએ. મહાસંધનું વાત્સલ્ય કરવાથી જે ફલ પ્રાપ્ત થાય છે તેની બરોબર અન્યધર્મોનું ફલ આવી શકતું નથી. મહા સંધમાં સર્વગુણાને વાસ થાય છે. મહાસંધનું વાત્સલ્ય કરવાથી કટિભવોનાં પામે તુર્ત ટળી જાય છે. ગમે તેવા પાપીને પણ મહાસંઘની પૂજા કરવાથી ઉદ્ધાર થાય છે. મહાસંધમાં પરમાત્માએ, દેવતાઓ વગેરે સર્વે વસે છે. ચતુર્વિધ મહાસંધની આજ્ઞાને લેપ કરવાથી કોઈનું શ્રેયઃ થતું નથી. મહાસંધની પૂજા કરીને દરેક જૈને પિતાના જન્મને લહાવે લેવા જોઈએ. મહાસંધમાં આચાર્ય ઉપાધ્યાય સાધુ મુખ્ય છે, માટે તેઓની સેવા પૂજા વિશેષતા કરવી. जिनदेवगुरुगुणकीर्तिकराः જિનદેવ અને ગુરૂગુણુની કીર્તિના કરનારા ગૃહસ્થજેને અને ત્યાગી સાધુઓ હોય છે. જિનેશ્વરની અને ગુરૂની કીર્તિ થવાથી આત્માની શુદ્ધિ થાય છે. ગુરૂની અને દેવની કીર્તિ કરવાથી અન્ય લોકોને પણ બેધિબીજની પ્રાપ્તિ થાય છે. મન, વાણી અને કાયાની શુદ્ધિપૂર્વક આત્માની શુદ્ધિ કરવી હોય તે ગુરૂદેવના ગુણેની સદાકાલ કીર્તિ કરવી જોઇએ. પુણ્યની પ્રાપ્તિ કરવી હોય તે જિનદેવ અને ગુરૂની સદા સ્તુતિ કરવી. ગુરૂદેવની પ્રેમલક્ષણ ભકિતથી અલ્પકાળમાં સર્વકર્મને ક્ષય થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. For Private And Personal Use Only
SR No.008593
Book TitleJainopanishad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages50
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy