________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
કથાસાગર
આનંદ હતે. લીલાવતીએ પતિની આજ્ઞા લઈ ચંદ્રરાજાને પિતાને ઘેર આમંત્રણ આપ્યું. બેન ભાઈને ભેજન આપે તે રીતે તેણે તેને જમાડ અને ચંદ્ર પણ લીલાવતીને પોતાની નાની બેન માની ખુબ દાયજો આપે. (૭)
ચંદ્રરાજા સાંજના ભેજન બાદ ગઠી કરી પિતાના તંબુમાં સૂતા હતા. રાત્રિએ પિતાને અંધાર પછેડે ધીમે ધીમે જગત્ ઉપર પાથર્યો હતો. સૌ કઈ શાંત હતા ત્યાં એક સ્ત્રીને ડુસકે ડુસકે રડવાનો અવાજ આવે. ચંદ્રરાજાની ઉંઘ ઉડી. તે એકદમ બેઠા થયા અને તલવાર લઈ રડવાના અવાજની દિશાએ ગયા તે એક સ્ત્રી મેંફાટ રેતી હતી. ચંદ્રરાજાએ કહ્યું “શા માટે રડે છે બાઈ? તને શું દુખ છે? તે કહે છે તેને કાંઈ ઉપાય કરું?
રડનાર સ્ત્રી રૂપ રૂપને અંબાર હતી. તે બેલી “હું વિદ્યાધર પુત્રી છું. મારે પતિ મને વાંક વિના મધ્યરાત્રિએ છેડી ચાલ્યા ગયે છે. રાજન્ ! હું અબળા મારો જન્મારો કઈ રીતે કાઢીશ? તેને જે મારા ઉપર પ્રેમ નથી તે મારે પણ તેના ઉપર પ્રેમ રાખવાથી શું ? મારૂં રુદન તમે સાંભળ્યું છે અને મારી વારે ધાયા છે તે હે પુરુષ! હું તમારી સ્ત્રી થવા ઈચ્છું છું. પ્રેમીની સાથે પ્રેમ કરવાથી અર્થ સરે નિપ્રેમીને વળગી રહેવાથી શું ?'
ચંદ્ર એકદમ આઘે ભાગે અને બે બાઈ આવું ખરાબ ન બેલ. સારા માણસ એઠી વસ્તુને ન ખાય. તું ગમે તેવી રૂપાળી પણ પરસ્ત્રી, મારે ન ખપે. તારી ઈચ્છા હોય તે તારા પતિને શેાધી તેની પાસે પહોંચાડું.”
For Private And Personal Use Only