________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
થાસાગર (૫) એક વખત ચંદ્રરાજાને ગમગીન દેખી પ્રેમલાએ પુછયું નાથ ! તમે કેમ ઉદાસ અને વિચારમગ્ન લાગે છે ?”
ચંદ્ર બે “પ્રેમલા! મને ગુણવલી અને મારી નગરી યાદ આવે છે. ગુણાવલીએ ભૂલ કરતાં શું કરી પણ પછી તેણે એ પશ્ચાતાપ કર્યો નથી. તેમજ મારી આભાનગરી આજે મને બોલાવે છે. તે સુની પડી છે. તેથી હું ત્યાં જવા માંગુ છું”
પ્રેમલાને પણ શ્વસુર ભૂમિ જોવાના કેડ હતા તેથી તેણે પણ તેમાં સંમતિ આપી.
ચંદ્રરાજાએ મકરધ્વજને કહ્યું કે “રાજન ! હું આભાનગરીએ જવા માગું છું મારી પ્રજા હાલ રાજા વિના સુની છે અને તે બોલાવે છે માટે મને ત્યાં જવા અનુમતિ આપે.”
મકરધ્વજે ઘણે ન જવા આગ્રહ કર્યો પણ તેણે ન માન્ય એટલે તેણે માન્યું કે બાંધ્યા કણબીએ ગામ ન વસે તેમ ચંદ્રને પરાણે રોકવાને કાંઈ અર્થ નથી તેથી તેણે તેને આભા નગરી જવા સંમતિ આપી.
ચંદ્રરાજા આભા જવા તૈયાર થયા એટલે પ્રેમલા પણ પતિ પાછળ જવા તૈયાર થઈ. પ્રેમલાને રાજમાતાએ રોકાવા ઘણું કહ્યું પણ તે ન માની એટલે રાજમાતા બેલી.
પ્રસવે જનની જો કેઈ, પ્રસ સુત નિરવાણ પણું પુત્રી પ્રસવે રખે, પિયર વિમુખી જાણ
ગમે તેવી છેકરી વહાલી હોય તે પણ તે પિયરથી વિમુખ રહેવાની તેને ત્યાં ગમે તેટલું ધન સંપત્તિ હશે તો
For Private And Personal Use Only