________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
ચંદરાજાનું ચરિત્ર માટે આ પાંજરામાં રહેલ કુકડે આપ મારે પૈસા ટકાની કાંઈ જરૂર નથી.”
વીરમતી બેલી “અરે તેમાં તે શું માગ્યું. તું હાથી, ઘેડા, હીરા બીજું ગમે તે માગ. આ કુકડે તે વહુને રમવા માટે રાખે છે. તેને હું આવું તે તે બિચારી દુભાય માટે બીજું માગ.”
નટ બે “કુકડે આપતાં તમે અચકાઓ છે તે પછી બીજું શું આપવાનાં છે?”
નટ એકને બે ન થયે એટલે વીરમતીએ કુકડા લેવા પ્રધાનને ગુણાવળી પાસે મોકલે. તે ગુણવળી પાસે ગયો અને તેણે નાટકીયાને ભેટ આપવા કુકડાની માગણી કરી. સાથે સાથે કહ્યું “રાણી! આમાં બહુ વિચાર ન કરે. કુકડે. જીવતે હશે તે કોઈ દીવસ ચંદ્રરાજા થશે. પણ અહિં રહેવાથી કેઈ વાર વીરમતીના હાથે મૃત્યુ પામ્યા તે હંમેશ માટે ખાઈ બેસશે. માટે મેહ છેડે અને ભવિષ્યને વિચાર કરી સુપ્રત કરો.
કરે કચ્છમાં પાડવા દુર્જન કોડ ઉપાય પુણ્યવંતને તે સવિ, સુખના કારણું થાય,
વીરમતી ભલે એમ માનતી હોય કે હું કુકડો નાટકીયાને આપું એટલે તે ગામેગામ નાચશે અને દુખી થશે. પણ વાસ્તવિક રીતે નાટકીયાને આપવાથી તે સુખી થશે. તે પુણ્યશાળી છે એટલે તેને તે ઠેર ઠેર માનજ મળવાનું છે.
ગુણાવળીને મંત્રીની વાત ગળે ઉતરી પણ કુકડાને આપતાં તેને જીવ ન ચાલ્યું. તેણે નાટકીયાને ફરી સમ
For Private And Personal Use Only