________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૦
કથાસાગર
મેં કહ્યું “રાજન ! આગે આગે ગોરખ જાગે. લગ્ન વખતે કુળદેવીને આરાધશું અને તેને કોઢ મટાડશું. આ જગતમાં તે મીઠે જુઠ સંસારમાં જઠ છે સંપત્તિ મૂળ
જુઠું જ મીઠું લાગે છે. અને જુઠજ સંપત્તિનું મૂળ છે. પુત્ર જન્મે ત્યારથી જ જુઠું આવ્યું છે. તે હવે પુરૂ કરે છૂટકે. આજસુધી કુમારને દેવકુમાર કીધે હવે શું કેઢીએ જાહેર કરે છે
રાજા બોલ્યા “ ત્યારે તને ઠીક લાગે તેમ કર. મને તો આવું કરવું ઠીક લાગતું નથી.”
ડીવારે વિમલાપુરી નગરીના રાજાના મંત્રીએ આવ્યા અને બોલ્યા “રાજા ! આમાં વિચાર કરવા જેવું શું છે? કનકદેવજ રાજકુમાર છે અને પ્રેમલા લચ્છી રાજકુમારી છે અને રૂપવાન અને ગુણવાન છે. અમારું માથું કબુલ કરે.”
સિંહલ રાજા કાંઈ ન બેલ્યા પણ હું બોલ્યા “રાજન્ ! આ કબુલ કરવામાં શું વાંધો છે? કુમારના ગુણના સમાચાર સાંભળી તે દૂરદ્રથી આવ્યા છે. અને આ સંબંધ બાંધવાથી આપણે અને તેમને સંબંધ વધુ ગાઢ થશે.”
રાજાએ મારા આ આગ્રહથી શ્રીફળ ગ્રહણ કર્યું. અને કુમાર સાથે પ્રેમલાલચ્છીનું વેવિશાળ કબુલ કર્યું.
એક દીવસે વિમળાપુરીના મંત્રીએ મારી પાસે આવ્યા અને બેલ્યા “મંત્રીવર! હવે અમારે વિમળાપુરી જવું છે. અમને કુમારનાં દર્શન કરાવે જેથી અમે અમારા રાજવીને સંતોષ પમાડી બધે વૃત્તાંત કહી શકીએ.”
બોલ્યો “મંત્રીએ! કુંવર એના મશાળ છે.
For Private And Personal Use Only