________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬ કૌતુક દર્શન
યાને ગુણાવલી
ચંદ્રકુમાર રાજા થયે પણ તેની ઉંમર હજી નાની હતી. રાજ્ય ખટપટ અને દુનિયાદારીની કપટકળાથી તે અજાણ હતો આથી રાજા ભલે ચંદ્ર હતું પણ રાજ્યને તમામ દેર તે વીરમતીના જ હાથમાં હતું.
એક વખત તેણે રાજાને ખાનગીમાં કહ્યું “પુત્ર! તું સુખે વૈભવ ભગવ. રાજ્યની બધી ખટપટ હું સંભાળીશ. મારી શક્તિ સામાન્ય નહિ સમજાતે. હું ધારું તે કરી શકું તેમ છું. ઈન્દ્રનું સિંહાસન પણ ડોલાવવાની મારામાં તાકાત છે. અને હું ધારું તે સૂર્યના અને પણ તારા પાયામાં લાવી હાજર કરૂં તેમ છું. કહેવાનું તને એટલું જ છે કે તું મને અનુકુળ રહેજે મારી ખાનગી વાતમાં તું આડે આવીશ નહિં અને મારો વિરોધ કરીશ નહિ. વિરોધીને સહન કર. વાનું મારી પ્રકૃતિમાંજ નથી.” - ચંદ્રકુમાર બે “માતા! એ શું બોલ્યાં? હું તે. માત્ર શેર ધાન્યને ધણી. આ રાજ્ય અને વૈભવ બધે તમારે અને હું પણ તમારેજ છું. તમારી આજ્ઞા મારે શિરસાવંદ્ય, રહેશે.’
For Private And Personal Use Only