SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાનું ચરિત્ર ૨૦ રથી વીણામાં કેટિભેદ કરતી હતી. અને કેઈ તેમાં એકતાલ દ્વિતાલ ત્રિતાલ વિગેરેની જમાવટથી એકતાનતા જમાવતી હતી. થોડીવારે નૃત્ય શાંત થયું અને બધી અપ્સરાઓ મંદિરની બહાર નજીકમાં રહેલ વાવડીએ આવી. તેમણે તેમના કપડાં વાવને કાંઠે ઉતાર્યા અને એક પછી એક વાવડીમાં પડી. પૂનમની રાત હતી. ઉન્હાળાને દીવસ હતે. સરખે સરખી બધી સાહેલીઓ હતી એટલે જળ ક્રીડામાં તેમને ખુબ આનંદ પડયે. આ વખતે લાગ જોઈ વીરમતી મંદિરમાંથી નીકળી અને અસરાઓના પડેલાં વસ્ત્રોમાંથી મૂખ્ય અસરાનાં લીલાં વસ્ત્ર ધપટના કહ્યા મુજબ ઓળખી ઉપાડયાં. વીરમતી તુત વસ્ત્ર લઈ મંદિરનું બારણું બંધ કરી મંદિરમાં પેઠી. જળકીડા બાદ અપ્સરાઓ બહાર આવી. સૌએ એક પછી એક પિતાનાં વસ્ત્ર પહેર્યા પણ મૂખ્ય અસરાના વસ્ત્ર ન જડયાં. શરૂઆતમાં તે તેણે સખીઓને કહ્યું “મશ્કરી ન કરે મારાં વસ્ત્ર આપ.” પણ સખિઓ બેલી “બહેન મશ્કરી તે ક્ષણભર હેય પણ હવે જવાને વખત થયે ત્યાં સુધી તે મશ્કરી જ કઈ કરે અને તમે કયાં નાનાં છે કે અમે તમારી મશ્કરી કરીએ? સૌથી મોટાની મશ્કરી તે કઈ કરતું હશે ?” મૂખ્ય અપ્સરા બોલી “તે વસ્ત્ર અહિંથી લઈ જાય કેણ?” તેમણે બધાંએ આડે અવળે બધે જોયું પણ વસ્ત્ર ન જડયાં એટલે એક બોલી “આપણે સ્નાન કરવા ગયાં ત્યારે જિનમંદિર ખુલ્યું હતું અત્યારે બંધ કેમ છે? કઈ વસ્ત્ર લઈ દેરાસરમાં તે નહિં ગયું હેય ને?” For Private And Personal Use Only
SR No.008589
Book TitleJain Katha Sagar Part 3
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Sangh Unjha
Publication Year1954
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy