________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
ચંદરાજાનું ચરિત્ર બે શામ્યા યાને
વીરમતી અને ચંદ્રાવતી ( ૧ )
આભા એટલે કાંતિ જાણે કાંતિ–તેજની નગરી હોય તેવી આભાપુરી નામે નગરી હતી. આ નગરીને રાજા વીરસેન પરાક્રમી, સહૃદયી વૈભવી અને સત્ત્વશાળી હતો. એને વીરમતી નામે રાણી હતી. આ વીરમતી રૂપવતી, બુદ્ધિશાળી અને તેજસ્વી હતી. અને રાજારાણી સુખ પૂર્વક રહેતાં હતાં.
એક વખત આભાપુરીમાં કેઇ એક ઘેાડાના વેપારી રાજસભમાં આવ્યા અને તેણે રાજાને પોતાના વેગીલા અને તેજીલા ઘેાડાઓને વર્ણવ્યા. સમૃદ્ધિ સપન્ન અને શાંતિવાળા રાજવી હંમેશાં શિકારના શેાખીન હોય છે અને તે સાથેજ તેએ ઘેાડાના પણ તેવાજ શાખીન હોય છે તેથી રાજા વીરસેન નગર બહાર આવ્યા અને તેણે એક પછી એક બધા ઘેાડા જોયા. આ ઘેાડા ઠ્ઠાવર ઘાટીલા હતા. જોતાં જ રાજાને આ બધા ઘેાડા ગમી ગયા. તેથી તેણે માં માગ્યુ મૂલ આપી બધા ઘેાડા . ખરીદી લીધા. અને વેપારીને આનંદ પમાડી તેને ગામ વિદાય કર્યાં.
For Private And Personal Use Only