________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૨૧ સ્ત્રી સ્ત્રીને પરણી
યાને
પુણ્યસાર થા
પુરંદર અને પુણ્યશ્રી ગોપાળનગરનાં શેઠ શેઠાણી હતાં. બને સાત્વિક પ્રેમાળ અને બધી રીતે સુખી હતાં છતાં તેમને સંતાન ન હતું.
શેઠ શેઠાણી ધર્મમાં માનનાર હોવાથી કોઈ દેવ દેવલાની બાધા ન રાખતાં કે બીજા કેઈ ઉપચાર ન કરતાં. તેમની ઉંમર વધવા માંડી. સગાવહાલા બધા કહેવા માંડયા “શેઠ છેકરા વગર તે ઘરની શોભા શી ? કાંતે બીજી સ્ત્રી પરણે કે કાંતે કઈ યક્ષ વિગેરેને આરાધી પુત્ર મેળવે.”
શેઠને બીજી સ્ત્રી કરવાનું મન ન થયું પણ ઘણે કુટુંબે આગ્રહ કર્યો એટલે તેમણે કુળદેવીને આરાધી પ્રસન્ન કરી. કુળદેવીએ કહ્યું “શેઠ ! પુત્ર તે તમારે થશે પણ હજી વાર છે. ધર્મકરણ કરો એટલે તેથી બધું સારું થશે.
શેઠ શેઠાણ બન્ને ધર્મકરણીમાં વધુ ઉજમાળ રહેવા લાગ્યાં પરિણમે પુણ્યશ્રી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપે. શેઠે આ છોકરાનું નામ પુણ્યસાર પાડયું કેમકે ઘણી ધર્મકરણી વિગેરે પુણ્ય કરવાથી તે પ્રાપ્ત થયો હતો.
- પુણ્યસાર શેઠને ત્યાં પાંચ ધાવમાતાથી લાલન પાલન થતે નિશાળે બેઠે. અને ભણવા લાગ્યા.
For Private And Personal Use Only