________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
મહાબળને તેમની દેશના સાંભળી વૈરાગ્ય જાગ્યો તેથી તેણે દીક્ષા લીધી અને સાથે સાથે તેના છએ બાળમિત્ર રાજાઓએ પણ દીક્ષા લીધી.
દીક્ષા બાદ આ છએ એક સરખી તપશ્ચર્યા કરતા સાથે વિચરતા અને સાથે સાથે ધર્મધ્યાનમાં આગળ વધતા. આમ તેમણે એકાવલી, કનકાવલી વિગેરે ઘણું જાતના તપ કર્યા પણ મહાબળની ઈચ્છા મિત્ર કરતાં પણ કાંઈક વધુ કરવાની થઈ. પારણાને દીવસ હોય અને મિત્ર મુનિઓ હેરી લાવી ખાવા બેસે એટલે મહાબળ મુનિ કેઈને કાંઈ બાનું કાઢી એક ઉપવાસ વધુ ખેંચી કાઢે. મિત્ર મુનિઓ કહેતા કે આમ શામાટે અમારાથી જુદા પડે છે. પહેલાં કહ્યું હોત તે અમે પણ ઉપવાસ કરતા પણ મહાબળ તે દરેક તપશ્ચર્યામાં વધુ નહિ તે એક ઉપવાસ તે આ રીતે વધુ ખેંચી કાઢતા.
મહાબળે ઉગ્ર તપ કર્યો. વિસસ્થાનકના તપથી તેમણે તીર્થકર નામ બાંધ્યું પણ હું આગળ વધું અને બીજા ભલે એક ઉપવાસ ઓછો કરે તે માયાને લઈ સ્ત્રીવેદ ઉપજે કર્મને એ નિયમ છે કે ત્યાં ચતુરની ચતુરાઈ કે પરાક્રમીનું પરાક્રમ ચાલતું નથી. ત્યાં તે જે રીતે મનનું ચક્કર ચાલે તેમ તેનાં પડેલે લાગે.
ઉગ્ર તપ અને નિર્મલ સંયમના પ્રતાપે આ છએ મિત્રો મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં ગયા કેમકે અનુત્તર તપ ત્યાગનું ફ: પણ અનુત્તરજ હોય છે.
(૩) મહાબળને જીવ અનુત્તર વિમાનમાંથી વી. મિથિ.
For Private And Personal Use Only