________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ વિષયનો વિશ્વાસ છે?
યાને સુકુમાલિકા
સસક અને ભસક બને ભાઈઓ હતા. તેમના પિતા વસંતપુરના રાજા સિંહસેન અને માતા રાણી સિંહલા હતી.
રાજા સિંહસેન અને રાણી સિંહલાએ આ બે પુત્રે પછી એક સુકોમળ અંગવાળી પુત્રીને જન્મ આપે. રાજા રાણીએ આ પુત્રીનું નામ સુકુમાલિકા પાડયું.
સસક અને ભસક મહા બળવાન રાજકુમાર હતા. એકેકે રાજકુમાર હજાર હજાર હૈદ્ધાને પરાભવ કરે તે તે સહસ્રોધી હતો એકવાર વસંતપુરમાં ધર્મષસૂરિ પધાર્યા. રાજા પ્રજાએ આનંદથી ધર્મ સાંભળ્યો પણ સસક ભસકને તો આ ધર્મ પરિણમ્યા અને તેમણે બન્નેએ માત પિતાની અનુમતિ લઈ દીક્ષા લીધી.
દીક્ષા બાદ આ બન્ને ભાઈઓએ અભ્યાસમાં ચિત્ત પરેડ્યું અને થોડા વખતમાં તે તે મેટા વિદ્ધાન થયા.
એક વખત આ બન્ને મુનિઓને પિતાના માતા પિતા કરતાં પણ પોતાની નાની બહેન સુકુમાલિકા વધુ યાદ આવી અને તેને પ્રતિબોધ કરવાની તેમને ઈચ્છા થઈ.
For Private And Personal Use Only