________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાંદનામલયાગિરિ
૩૬ આ શરીર શું લાકડા વેચવા માટે છે. તું મારી અર્ધાગના બને અને આ બધે વૈભવ તારો સમજી મારી સાથે રહે.” મલયાગિરિએ હાથ કાને દીધા અને બેલીઃ અગ્નિ મચ્ચે બળવે ભલે ભલા જ વિષકે પાન, લિ ખંડ નહિ ભલે નહિ કુછ શીલ સમાન, આ સોદાગર ! દુર ખસ. મારા હૈયામાં જીવ હશે ત્યાં સુધી હું શિયળ નહિ ખંડુ. મારા શિયળ ખંડવાનો પ્રયત્ન થશે તે તારા હાથમાં મારા મૃતક સિવાય કાંઈ હાથ નહિ આવે. સેદાગર ડઘાયે અને તેને ધીમે ધીમે અનુકુળ કરવાના પ્રયનમાં પરોવાયે.
આ પછી મલયાગિરિ સેદાગર સાથે રહે છે ત૫, જ્ઞાન, ધ્યાન અને જીનેશ્વર ભક્તિમાં પોતાને સમય ગાળે છે.
ચંદનરાજા વણિકને ત્યાં પૂજા વિધિ પતાવી રાત પડતાં ઝુંપડીએ આવ્યું તે સાયર અને નીર બને ધુસકે ધ્રુસકે રેતા હતા. ચંદને તેમનાં આંસુ લુછગ્યાં અને કહ્યું “બેટા કેમ રડે છે? તમારી માતા કયાં ગઈ?” બાળકોએ કહ્યું કે જાણે કેમ હજુ સુધી આવી નથી? અમે કેટલી વાર તેની રાહ જોઈ પણ દેખાતી જ નથી.”
ચંદન બહાર નીકળ્યો. આમ તેમ ફર્યો. જે કોઈ મળ્યું તે બધાને પુછયું કેઈએ દીકી ભારા વેચનારી મલયાગિરિને!” કેઈએ ના કહી, તે કેઈએ જવાબ સરખે ન આપે. ચંદને મનને સ્થિર કર્યું અને વિચાર્યું કે હું મગજનું સમતાપણું મોઈશ તે આ બે બાળકોનું શું થશે ?'
For Private And Personal Use Only