________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢાર નાતર
૩૬૫
સરખી આકૃતિ છે અને એક સરખાં નામ છે. એક ઉપર કુબેરદત્ત અને બીજા ઉપર કુબેરદત્તા લખ્યું છે. હું બાળપણથી આ વીંટી પહેરું છું અને આપ પણ બાળપણથી પહેરતા હશે. આ વીંટીમાં કઈ સંકેત નહિ હોય?”
કુબેરદત્ત કુબેરદત્તાના હૃદયને બીજે ખસેડવા કહ્યું આવા બેટા તકે શા માટે કરવા? તું કાલે તારી માતાને પુછજે, હું પણ કાલે મારા માતાપિતાને પુછી જોઈશ. તેમને તો ખબર હશેને?
“બહુ સારૂં!” કહી બન્નેએ બાજી સમેટી.
આખી રાત કુબેરદત્તાને ઉંઘ ન આવી. તેણે અનેક તર્કવિતર્ક કર્યા. તેમાં તેને એમ પણ લાગ્યું કે જેડલે જન્મેલાં અમે ભાઈ બહેને તે નહિ હેઈએ! અને ગમે તે કેઈ કારણે અમને માતાએ આ સંકેતની વીંટી પહેરાવી તજી તે નહિ દીધાં હોય ?
સવાર પડયું. બન્ને જણાને અચંભે હતે. એટલે સૌ પહેલાં છેમણે વીંટીના મૂળ સંબંધી પિતાને પુછ્યું. બન્ને વણિકે એ જે વાત હતી તે કહી દીધી અને કુબેરદત્તાના તને સંમતિ આપી.
- કુબેરદત્તાને પશ્ચાતાપને પાર ન રહ્યો. તે ચિંતવવા લાગી “અરે રે! ભાઈ બહેન થઈ અમે પતિ પત્ની બન્યાં. એક ભવમાં આવા નિંદનીય બે ભવ! શું કરું? કયાં જાઉં? કઈ રીતે બહાર મુખ કાઢું?” તેણે માતા પિતાને કહ્યું ‘માતપિતા ! તમે જાણતા હતા છતાં આવા કુકૃત્યના અંધારામાં તમે અમને ધકેલ્યાં. તમે શું કરે? અમારું એવું કઈ હત દૈવ ! શું થાય ?
For Private And Personal Use Only