________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપિલકેવલી કથા
૩૧૩
બીક લાગે. તેમના મનમાં થાય કે રખે નવા પુરહિતને ખોટું લાગે.”
માતા કૌશામ્બી સિવાય બીજે સારા વિદ્વાને નથી.” કપિલે બધી તૈયારી બતાવતાં કહ્યું.
“શ્રાવસ્તીમાં તારા પિતાના પ્રિય મિત્ર ઈન્દ્રદત્ત મહાન વિદ્વાનું છે. ત્યાં તું જાય છે તે તને પુત્રની પેઠે સાચવે અને સારી રીતે ભણાવે પણ મારું મન તને બહાર એકલતાં અચકાય છે.” યશાએ માર્ગ બતાવતાં જણાવ્યું.
માતા હું શ્રાવસ્તી જઈશ અને ચીવટથી ભણી વિદ્વાન થઈશ અને તારા મનને ઠારીશ.”
સારે દીવસ અને સારા શુકન જોઈ માતાએ કરી આપેલ ભાથું લઈ, માતાને પગે લાગી કપિલે કૌશામ્બી છેડયું અને કમેકમે તે શ્રાવસ્તી નગરીએ પહોંચ્યા.
શ્રાવતિ નગરમાં પંદર વર્ષને યુવાન કપિલ ઉંચી ઉંચી હવેલીઓ જેતે આગળ જાય છે અને જે મળે તેને ઈદ્રદત્ત વિદ્વાનનું નામ પુછતે જાય છે. ચૌટું વટાવી આગળ વધ્યા ત્યાં એક ચેગાનમાં ઘણુ વિદ્યાર્થીઓનું ટોળું વિંટળાઈ વળેલ તેવા આઘેડ ઉઘાડા શરીરવાળા તેજસ્વી બ્રાહ્મણને તેણે જોયા અને બધા વચ્ચે જઈ તે બે “ઈન્દ્રદત્ત મહાવિદ્વાન ક્યાં રહે છે ?”
તેજસ્વી બ્રાહ્મણે મુખ ઉચું કર્યું અને યુવાન સામે જોયું તો મિત્ર કાશ્યપની જ જાણે પ્રતિકૃતિ હેય તે આ યુવાન લાગ્યું. તેમણે કહ્યું “બાળક! બેલે ઈન્દ્રદત્તનું શું કામ છે. હું જ ઈન્દ્રદત્ત.”
For Private And Personal Use Only