________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મા દઢપ્રહારી
૨૯૩
કે “બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાય આ ચારની હત્યા મેં કરી છે તે જ્યાં સુધી મારા સ્મૃતિપથમાંથી ન ભૂસાય ત્યાં સુધી મારે અન્નપાણી ન વાપરવાં અને મારે બધું સહન કરવું.'
(૩) ચારણુર્ષિ તે ચાલ્યા ગયા અને દઢપ્રહારી એજ કુશસ્થળના વૃક્ષ નીચે સંયમ ધરી કાઉસ્સગ ધ્યાને રહ્યો.
સવાર પડયું. લેકોના ટોળાં એક પછી એક ગામના પાદરે આવ્યાં. ગઈ કાલે જેનું નામ સાંભળતા કંપતા તે લેકે “મારે આ પાપી, ચેર, ઢાંગીને.” કહી કેઈ પત્થર ફેંકે છે, તો કેઈ આણે “મારા ભાઈને માર્યો હતે” તે સંભાળી બે ચાર લાકડીના ઘા મારી લેહી ચૂત કરે છે. પણ દઢપ્રહારી તે ઝાડના ઠુંઠોની પેઠે સ્થિર રહે છે. એક દીવસ બે દિવસ આમ જ તેને તિરસ્કાર થાય છે. દેઢ મહિને વીત્યે એટલે દૃઢપ્રહારી ત્યાંથી નીકળી બીજે દરવાજે કાઉસ્સગ્ન ધ્યાને ઉભે. અહિં પણ તેજ પ્રહાર, ગાળે અને તેના સહન કરી દેઢ મહિને ગાળે. આમ ચારે દરવાજે લોકેએ તેને જેટલી ગાળે તર્જન અને તાડન કરવું હતું તે કર્યું. દઢપ્રહારીએ પણ મન મજબુત કર્યું અને વિચાર્યું કે “મેં કયાં પાપ ઓછાં કર્યા છે. કેઈનું ધન હર્યું છે! કેઈના બાપ દીકરા અને બાંધવ માર્યા છે ! કેઈ નિર્દોષ માનવોના જાન લીધા છે. આ તે બિચારા મને મારે છે પણ મને જેટલી શિક્ષા કરે તેટલી મારા પાપ આગળ ઓછી છે.”
For Private And Personal Use Only