________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના શાલિભદ્ર
ઉપલે મારે સોળ ન કામ આવે મંત્રીસ જોઈએ. છોકરાની બત્રીસ વહુઓમાંથી સોળ કેને આપું અને કેને ન આપું ?”
વ્યાપારીઓમાંથી એક બોલ્યો “માતાજી! એક કંબલ તે રાજા જેવા ખરીદી શકતા નથી અને આપ બત્રીસની વાત કરે છે. આ બસે પાંચસેની કાંબલ નથી. એક કાંબલની કિંમત સાંભળી છે? સવાલાખ સોનામહોર છે. - ભદ્રામાતાએ દાસીને બોલાવી અને કહ્યું “વ્યાપારી પાસેથી સેળ કાંબળો લઈ લે અને ખજાનચીને તેના પૈસા ચૂકવવાનું કહી દે.
વ્યાપારીઓ આભા બન્યા. થેડીજ વારમાં વ્યાપારીઓના હાથમાં સળે કાંબળની કિંમત ખજાનચીએ આપી. અને તે શું સમૃદ્ધિ! શું ઉદારતા! બોલતા માથું ધૂણાવતા રાજગહીની પ્રશંસા કરતા રસ્તે પડયા.
દાસીએ સવારે શાલિભદ્રની સ્ત્રીઓને સ્નાન કરતી વખતે એકેક કંબલના બે બે ટુકડા કરી એકેક સ્ત્રીને આપ્યા અને કહ્યું કે માતાએ સવાલાખ સેનામહેરે આ રત્નકંબલ આપને પહેરવા માટે ખરીદી છે.
રીઓએ માતાના માન ખાતર કંબલ પહેરી ખરી પણ દાસીને કહ્યું કે “આ તે બહુ કરડે છે.”
દાસીએ આ વાત ભદ્રામાતાને કહી ભદ્રામાતાએ વિચાર્યું કે દેવદૂષ્યની પહેરનાર પુત્રવધુઓને રત્નકંબલ કેમ ગમે? દાસી તુ પુત્રવધુઓને કહે કે કરડે તે કાઢી નાંખજે. મન બગાડીને કે કચવાઈને માતાને ખરાબ લાગશે માટે ન પહેરશે.”
For Private And Personal Use Only