SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ ઈલાથીપત્રકથા નટીને ભર્તા આ નટ છે અને તે પડી મરે તેજ નટડીને પોતાને સ્વાધીન કરવામાં અનુકુળતા આવે. કુકડાએ કૂકરમુકને અવાજ કરવા માંડે એટલે ઈલાચી સમજે કે સવાર પડયું તે હેઠે ઉતર્યો રાજાને પગે લાગ્યું અને દાન માટે હાથ ધર્યો. રાજાએ કહ્યું “નટરાજ ! ઠંડી સવારના પવનની લહેરે મારી આંખ મીંચાઈ અને હું તમારો ખેલ જોઈ ન શકયે. ફરી એક વાર મને તમારે ખેલ બતાવે. ઈલાચી સમજી ગયે કેઃ હું ધન વંછું છું રાયનું રાય વછે મૂજ ઘાત.” પણ ઘર બાર માતા પિતા બધું છેડયું આ નટડી માટે અને તે નટડી રાજા દાન આપે તે મળે એમ છે. તેણે ફરી હૈયું મજબુત કર્યું અને ખેલ આરંભે. (૪) સૂર્યનારાયણે પૂર્વમાં દેખાવ દી અને સોનાની લાલ તડકાની આછી આછી ચાદર જગત્ ઉપર પાથરવાની શરૂઆત કરી, વાંસ ઉપર ખેલતા ઈલાચીએ નવાનવા ખેલ આરંભ્યા અને નટેએ પુર જેસથી ઢેલને ઢમ ઢમ વગાડવા માંડયાં. ત્યાં ઈલાચીની નજર દૂર દૂર પડી. એક શ્રેષ્ઠિના ઘરના આંગણે મુનિ વહેરવા પધાર્યા છે. રૂપરૂપના અંબારસમી યુવતી મોદકભરી થાળ લાવી મુનિને વહેરાવે છે. મુનિ ના ના કહી પાછા વળે છે. મુનિની આંખ નીચી છે. સ્ત્રીની સામી નજર સરખી પણ તે મુનિ જોડતા નથી. ઈલાચી વિચારે ચડયે શું તેમને તપકૃશ સુશોભિત For Private And Personal Use Only
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy