________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનંદા અને રૂપાસેન
૧૧૧ રાજાએ ઉત્કટ ચારિત્રની આરાધના કરી અને તેજ ભવમાં મુક્તિ સાધી.
(૮) ઉગ્ર તપ અને ઉગ્ર પશ્ચાત્તાપે દેહ બનેલ સુનંદા સાધ્વીને ગુરૂણુની આજ્ઞામાં રહી સુંદર ચારિત્ર પાળતાં અવધિ જ્ઞાન થયું.
એક વખત સુનંદા સાધ્વીએ ગુરૂણીને કહ્યું “મહારાજ ! આપ આજ્ઞા આપે તે મારા નિમિત્તે જેણે સાત સાત ભવ દુ:ખ વેઠયું છે તે રૂપસેનના જીવ હાથીને પ્રતિબોધ કરવા જવા મારી ઈચ્છા છે !”
“આ! તું જ્ઞાનવંત છે તને તેમાં લાભ લાગે તે મારી આજ્ઞાજ છે. કોઈ પણ જીવ આરાધક બને છે તે આપણે ઈચ્છીએ જ.”
ગુરૂણીની આજ્ઞા શિરસાવદ્ય કરી સુનંદા સાધ્વી ચાર સાધ્વી સાથે સુગ્રામ ગામે આવ્યાં અને વસતિ યાચી ચાતુર્માસ રહ્યાં. ”
“મહારાજ ! આપ ગામ બહાર કયાં જાઓ છે. ઝાડને ઉખેડતે અને જે આવે તેને વિદારતે ઉન્મત્ત હાથી ગામના સીમાડામાં જ છે. આપ ઉપાશ્રયે પાછા ફરે.” આમ હાંફતાં હાંફતાં લોકોના ટોળાએ નગર બહાર જતાં સુનંદા સાધ્વીને કહ્યું છતાં સાધ્વી તો ગભરાયા વિના સીધાં આગળ ચાલ્યાં.
કરી લોકોના ટોળાએ બૂમ પાડી ‘મહારાજ આગળ ન વધે! ગાંડે હાથી જે દેખે તેને મારે છે. નાસે નાસે, ભાગ ભાગો. - ધૂળ ઉડાડતે ડાળી તેડતે અને જે આવે તેને વિદારતે હાથી છેટેથી લેકે દીઠે એટલે કે છાપરા ઉપર તે કઈ ગઢ ઉપર ચડી ધ્રુજવા માંડયા.
For Private And Personal Use Only