________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬ )
સત્ય નથી તેથી ગાંધીજી તે જ સત્યને રૂપાંતરે પ્રકાશી શકે નહીં, અને પ્રભુ મહાવીરનાં સત્યને જ જે તેઓ પ્રકાશે છે એમ માને છે તો તે સત્યને આપણું સાધુઓ દરરેજ કહે છે તેથી તેમાં ગાંધીજી વિશેષ કહી શકવાના નથી. ગાંધીજી જે પ્રભુ મહાવીરદેવનાં સત્યને જ પ્રકાશે તો જૈનશાસ્ત્રોથી ભિન્ન ન હોવાં જોઈએ અને તે એની જે હીલચાલ પ્રવૃત્તિ છે તેમાં કંઈ શ્રાવકધર્મની વા સાધુધર્મની પ્રવૃત્તિ વા જૈનશાસ્ત્ર પ્રમાણે ઉપદેશ વગેરે દેખાતો નથી. તેથી પ્રભુ મહાવીર પ્રભુની પેઠે રૂપાંતરે ગાંધીજીએ સત્ય ત પ્રકાશ્યાં છે એવું કહેવું તે સમજણ ફેર છે. ગાંધીજીના વિચારોમાં વારંવાર ફેરફાર થયા કરે છે. તેમની માન્યતાઓ ભવિષ્યમાં કેવી થશે તે આજથી કહી શકાય. નહીં, માટે જેનોએ તો ગીતાર્થ ગુરૂ આચાર્યોને સાધુઓને અને જૈનશાને અવલંબી ચાલવું જોઈએ. એમ ચાલવામાં જ જૈનેનું જૈનધર્મરૂપ સ્વરાજ્ય જીવશે, અન્યથા તેઓ જૈનધર્મથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વ બની જશે. એક વાર જેને ગીતાર્થ ગુરૂઓથી શ્રદ્ધા ખેઈ બેઠા તો તેઓ મિથ્યાત્વના કૂપમાં પડી જવાના. પ્રભુ મહાવીરદેવની પટ્ટપરંપરાએ સર્વ સત્ય તો આજદિન સુધી જૈનશાસ્ત્રના આધારે ચાલ્યાં આવે છે, તેથી આપણે સત્યની પ્રાપ્તિ માટે અન્યો ઉપર વિશ્વાસ રાખવાની જરૂર નથી, અને ધર્મને માટે તે વૈષ્ણવ ખ્રિસ્તી આદિ અન્ય ધર્મ નીતિવાળાભકતોની–મહાત્માઓની સંગતિ શરણ કરવાની કિંચિત્ અંશ માત્ર પણ જરૂર નથી. જેને, જૈનશાસ્ત્ર પ્રમાણે વર્તે તો તેઓ સ્વતંત્ર મુક્ત શત બની શકે છે. દેશ નાયકો અનેક થયા કરશે અને દેશની ભક્તિ રાગ તે વ્યાપક હેવાથી હિંદને દેશનાયક નીતિવાળો હોય તો ચાર ખંડમાં વખણાય, પ્રસિદ્ધ થાય, તેથી તે કંઈ જૈનધમની દૃષ્ટિએ જૈનત્યાગી સાધુઓની તુલનામાં તે આવી શકતું નથી અને તે જૈન સાધુઓની અહિંસાને પણ પાળી શકતો નથી. તે તે સર્વજ્ઞ વીતરાગ
For Private And Personal Use Only