________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા. કુંવારી કન્યાઓના શીયલનું રક્ષણ કરતા હતા. પાપીઓના ત્રાસને હઠાવી પ્રજાનું કલ્યાણ કરતા હતા. ધનુષ્યબાવડે અનેક દુષ્ટ રાજઓ જોડે યુદ્ધ કરીને તેઓને જીત્યા અને આર્યદેશમાં શાન્તિ ફેલાવી. તેમને સુખડી પ્રિય હતી. તેઓ અતિથિની સેવા ભક્તિ કરતા હતા અને ઘણા રા હતા તેથી તે મરણ પામીને દેવ થયા, અને બાવનવીરમાં ત્રીશમા વીર તરીકે તેમની ગણના થઈ તેઓ પૂર્વભવમાં પરોપકારી હતા. તેથી વીરના ભાવમાં પણ તે બને તેટલી ધર્મ ભક્તજનેને તેઓના શુભકર્માનુસારે સહાય આપે છે. પૂર્વભવમાં તેમના હાથમાં ધનુષ્યબાણ ન હતાં તેથી તેમની મૂર્તિના હાથમાં ધનુષ્યબાણ ખરું આપવામાં આવે છે, તે સમ્પષ્ટિદેવ, ક્ષત્રિય રાજાના જેવા આત્મા હોવાથી અને હાલ પણ તેવાં કાર્યો કરતા હોવાથી ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ ધનુષ્યબાણવાળી તેમની મૂર્તિ કરાય છે. જેમ રાજાને સર્વ ધર્મવાળી પ્રજા માને છે તેમ બાવનવીરેને પણ તે સર્વના ભલામાં દાક્તર રક્ષક સમિકેની ભાગ લેતા હોવાથી જેન, હિંદ, બોદ્ધ વગેરે ધર્મવાળાઓ માને છે પૂજે છે. દાક્તરને દાક્તરની અપેક્ષાએ માનવાથી જેમ મિથ્યાત્વ લાગતું નથી અને દવા કરાવવાથી જેમ મિથ્યાત્વ લાગતું નથી તેમ ઘંટાકર્ણવીરને વીર તરીકે માનવાથી અને દેવાધિદેવ વીતરાગને અરિહંત દેવ તરીકે માનીને પૂજવાથી લોકાન્તર મિથ્યાત્વ લાગતું નથી. ઘંટાકર્ણવીર છે તે અવિરતિ સમ્યગ્દષ્ટિદેવ છે. તે ચોથા ગુગુઠાણુના જન ગૃહસ્થ જેવા છે, તેથી આપણે તેમને શ્રાવકો, પિતાના શ્રાવકબંધુના જેવા પ્રિય ગણું તેમના ગુણેની સ્તુતિ કરે, તેમની મૂર્તિ આગળ ધૂપ દીપ નૈવેધ ધરે; તેથી કંઈ સમકિતમાં દૂષણ લાગતું નથી. જે તેમને તીર્થંકર દેવ તરીકે માનીએ તો મિથ્યાત્વ
For Private And Personal Use Only