________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
નથી તેઓને દેવની આરાધના સિદ્ધ પણ થતી નથી. અમદાવાદના નગરશેઠ શાંતિદાસને પુણ્ય ઉદય થવા આવ્યો ત્યારે દેવની સહાય મળી, એમ અનેક દાખલાઓથી સિદ્ધ થાય છે કે જ્યારે શુભકર્મને ઉદય થવાનો હોય છે ત્યારે દેવગુરૂ ભક્તિસેવામાં ચિત્ત જોડાય છે અને તેથી શાસનદેવેની સહાય પણ મળે છે.
પ્રશ્ન––શ્રી વીતરાગદેવ અરિહંત તીર્થંકર હોય છે એવા શ્રી કેશિરીયાજી આદીશ્વર, શ્રી મલ્લિનાથ, શ્રી પાનસર મહાવીર, શ્રી સંખેશ્વર પાર્થ વગેરે તીર્થકરે, રાગ દ્વેષરહિત હોય છે, તેઓ ભકતોને સહાય કરવાને સિદ્ધસ્થાનમાંથી અહીં આવતા નથી તે પછી કેટલાક ભક્ત જેને કહે છે કે મલ્લિનાથે ગાડું ચલાવ્યું. અમુકનું અમુક કાર્ય સિદ્ધ કર્યું, શ્રી સંખેશ્વર પાર્શ્વનાથે અમુક ચમત્કાર દેખાડે. શ્રી કેશરીયાજીએ સદાશિવની ઉજને ભમરા છોડી હટાવી દીધી. ઈત્યાદિ ચમત્કાર જે જે સંભળાય છે તે કોણે કર્યો?
ઉત્તર–યણ મલ્લિનાથ, પાનસરા મહાવીર, શ્રી સંખેશ્વર, કેશરીયાજી, મહુડી પદ્મ પ્રભુ વગેરેના નામે જે ચમકારે સંભળાય છે તે, તે પ્રભુના ભક્તરાગી શાસન દેવાએ કરેલા ચમકારે જાણવા. વીતરાગ દેવ તે રાગદ્વેષ રહિત છે તે કંઈ સિદ્ધ સ્થાનમાંથી પાછા આવતા નથી પણ તેતે દેવના રાગી ભક્ત શાસન દેવે તે તે પ્રભુની ભક્તિ કરનારાઓને તેમની ભક્તિથી પુણ્ય વધે છે તે પુણ્ય ફલ ભેગમાં સહાયક બને છે અને પ્રભુના નામ અને પ્રસંગે પ્રભુનું રૂપ કરીને પણ ભક્તોને દર્શન આપે છે, તેથી ભકતે જાણે છે કે પ્રભુએ ને પ્રત્યક્ષ થઈ દર્શન આપ્યાં, કેશરીયાજીમાં ભરવ છે તે શ્રી કેશરીયાને મહિમા વધારવા અને લેકવડે પ્રભુની મૂર્તિ પૂજાવવા માટે બાધા આખડીઓમાં પણ સહાય કરે છે અને કોઈને નિકાચિતકર્મના ઉદયથી સહાય મળતી
For Private And Personal Use Only