________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) કર્મના રૂપમાં ફેરવાઈ જાય છે અને કર્મના અનિકાચિત કર્મોદયને પણ નાશ થાય છે તે પ્રમાણે શ્રીપાલ રાજાને થયું અને તેને કોઢ રેગ ટળી ગયો અને શુભકર્મને ઉદય થવાને પ્રસંગ આવ્યો. જ્યારે ઇન્હે, હરિસુગમેલી દેવને કહ્યું કે તમે દેવાનંદાની કુખેથી પ્રભુ મહાવીરને શ્રી ત્રિશલારાણીની કુખમાં મૂકે. એમ ઈન્ડે કહ્યું અને હરિણગમેલી દેવે તે પ્રમાણે કર્યું તેમાં પ્રભુ મહાવીરદેવને શુભકર્મોદયમાં દેવોની સહાય મળી એમ સિદ્ધ થાય છે જ. જ્યારે મહાવીર પ્રભુને તીર્થંકરનામ કર્મોદય પ્રગટે ત્યારે, દેવોએ સમવસરણની રચના કરી અને પ્રભુને પૂજ્યા સેવ્યા, સગરચક્રવર્તિને સાઠ હજાર પુત્રોએ અશુભકર્મ બાંધ્યું હતું તેથી ભુવનપતિદેવે સાઠ હજાર પુત્રોને બાળી ભસ્મ કરી દીધા. જ્યારે શ્રીકૃષ્ણની દ્વારિકા નગરી બળવાને પ્રસંગ આવ્યું ત્યારે શ્રી ષ્ણથી પણ તે બચાવાઈ નહીં. વિષ્ણુ પુરાણના આધારે દેખો કે શ્રીકૃષ્ણ દેહને ત્યાગ કર્યો અને અર્જુન-શ્રીકૃષ્ણની ગોપીઓને લેઈ હસ્તિનાપુર તરફ જતા હતા ત્યારે વચ્ચમાં અર્જુનને કાબાઓએ લુંટયા. અર્જુન બાણાવળી ગયું હતું તે પણ તેનું બાણ, કાર્ય કરી શક્યું નહી અને ગોપીઓએ કહ્યું કે દ્રપદી અર્જુન વગેરેની સહાય કરનાર કૃષ્ણ !! સહાય આવી પણ કૃષ્ણ આવ્યા નહીં અને ગોપીઓને કાબા પિતાના ઘરમાં લેઈ ગયા, હિંદ. વિ. ૧૮૭૮ માં ગાંધીજીનું રાગી હતું તોપણ સરકારે ગાંધીજીને અશુભ કર્મના ઉદયથી કેદમાં ઘાલ્યા અને શુભ કર્મોદય થયો ત્યારે કેદમાંથી છૂટયા, તેમાં શુભાશુભકર્મોદય સુખદુઃખ ફળમાં, દે મનુષ્યો વગેરે જીવે નિમિત્ત હેતુ થાય છે, એવા કર્મના સનાતન સિદ્ધાંતને જેને, હિંદુઓ, બધે માન્ય કરે છે તે પ્રમાણે ચારનિકાયના દેવો પણ અન્ય જીને સુખદુઃખમાં નિમિત્ત કારણ બને છે, એમ જણાવીને હવે દે, ભકતના કર્માનુસારે ભક્તોને સહાયી થાય છે તે જૈનશાસ્ત્રના આધારે જણાવું છું.
For Private And Personal Use Only