________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૯) ગુજરવાલ, નાગર, જાળા, દિશાવાલ, પુષ્કરવાલ, મોઢ, લાડ, સોની, વડનગરા, અને પાંચા વગેરે વાણિયાઓ અસલ જૈન હતા. વડનગરના વાણિયાઓને નાગર વાણિયા કહેવામાં આવે છે. વિક્રમના છઠ્ઠા સૈકામાં વડનગરના નાગર વાણિયાઓ પરમ જૈન હતા. ભરૂચ તરફના દેશને અસલ લાટ દેશ કહેવામાં આવતું હતું. લાટમાંના નોડ થવાથી લાડ વાણિયા ગણવા લાગ્યા. શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ તથા શ્રી હેમચંદ્ર વગેરેના વખતમાં લાડ વાણિયા જનધર્મી હતા. પાછળથી તેઓ વૈષ્ણવ ધર્મમાં ગયા. રાંદેર સુરતમાં લાડવા નામના વાણિયાઓ છે તે મારવાડના જૈન રજપુતા હતા. તેઓ દુકાલથી વટપદ્ર (વડોદરા) માં આવ્યા અને ત્યાંના કરોડાધિપતિ જૈનોએ તેઓને લાડવામાં મહેરો ઘાલીને જમાડયા તેથી તેઓ લાડ જૈન વાણિયા તરીકે પ્રસિદ્ધ થયા. કેટલાક કહે છે કે તેઓ હજામમાંથી જૈન થયા છે પણ એ વાત સત્ય લાગતી નથી. તે પન્નરમા સૈકા લગભગ માં જૈન ગ્રંથોમાંથી તેમની જાતિનું નામ નીકળે છે. પન્યાસ શ્રી આનંદસાગરજીએ વૃન્દારવૃત્તિની એક પ્રતિ લાડુવા વાણિયાએ ત્રણસો વર્ષ પૂર્વે લખાવી એવો પુરા રજુ કર્યો છે. તે લોકોની સાથે જમણમાં કેટલાક ઓશવાળ વગેરે લોકો સુરતમાં વાંધે લે છે પણ તે એગ્ય નથી એમ સુરતમાં ચોમાસું રહેલા સાધુ મંડલે સં. ૧૮૬૬ ની સાલમાં સંઘ સમક્ષ ઠરાવ કર્યો છે. સોનીવાણિયા અસલ જૈન હતા અને તેઓ મારવાડના શ્રીમાલ નગરમાં રહેતા હતા. જૈનાચાર્યો તેઓને જેનો બનાવ્યા હતા. તેઓ સુવર્ણ સંબંધી કાર્ય કરવાથી સોની કહેવાયા. તેઓએ જૈનધર્મનાં મન્દિર બંધાવ્યાં છે. પાલીતાણામાં સોનીની બંધાવેલી ટુંક હાલ વિદ્યમાન છે. સંગ્રામ સેનાએ સનાથી ભગવતી સૂત્રની પ્રત લખાવી હતી. ગુજરાતમાં થોડાં શતક પૂર્વે તેઓ જૈન હતા. પણ બસો વર્ષ લગભગથી તેઓ વૈષ્ણવ વગેરે
For Private And Personal Use Only