________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૮ ) જન ધર્મમાં પૂર્વે ચાર વર્ષે હતી તે ચારે વણે પિતાના ગુણકર્માનુસાર પ્રવૃત્તિ કરતી હતી અને જૈન ધર્મને યથાશક્તિ પાળતી હતી. શ્રી આત્મારામજી મહારાજ સ્વકૃત તત્વનિર્ણય પ્રાસાદ નામના ગ્રન્થમાં જણાવે છે કે બ્રાહ્મણ જેનેએ ધર્મનું અધ્યયન કરવું અને અમુક મંત્ર ગણવો. ક્ષત્રિય જનોએ દેશધર્મના રક્ષણાર્થ ક્ષાત્ર ધર્મ પ્રમાણે વર્તવું અને અમુક મંત્ર ગણવા. વૈશ્ય જનોએ વ્યાપાર-હુન્નરકળા વગેરેથી આજીવિકા ચલાવવી અને અમુક મંત્ર ગણો, ઢેડ વગેરે જેનોએ અમુક મંત્ર ગણવા અને સેવાથી આજીવિકા ચલાવવી. આચાર દિનકર વગેરે પ્રાચીન ગ્રન્થોમાં ચારે વર્ણના જૈનોનાં કૃત્ય જણાવ્યાં છે. દક્ષિણ કર્ણાટકમાં કેટલાક દિગંબર જૈન બ્રાહ્મણે તરીકે હાલ વિદ્યમાન છે. ઉપદેશતરંગિણી નામના ગ્રન્થમાં ઘણા ઢેડ વગેરે નીચ શુદ્ધ જૈનોના સંઘો સિદ્ધાચલની યાત્રાએ આવ્યા હતા, તે સંબંધી ઉલ્લેખ છે. અમારા વાંચવામાં એક જૂનો ગ્રન્ય આવ્યા છે અને તેમાં લખ્યું છે કે ઢેડ વગેરે અત્યંત શક જેના જિનમન્દિરમાં ઉંચ વર્ણના જૈનોએ દર્શનાર્થે જવું કે નહિ એવો પ્રશ્ન છે તે ઉપરથી સિદ્ધ થાય છે કે.
પૂર્વે કેટલાંક શતકપર શક જૈન હતા અને તેમણે બંધાવેલાં જૈન મંદિર હતાં પણ પાછળથી તેમની ઉપેક્ષા વગેરે અનેક કારણોથી તેઓ હિન્દુધર્મ પાળવા લાગ્યા અને શત હિન્દુઓ તરીકે હાલ તેમના વંશજો વિદ્યમાન છે.
પ્રસંગોપાત્ત આ પ્રમાણે વિવેચન કરાયું. હવે મૂળ વિષય તરફ વળવામાં આવે છે. ચાર વર્ણમાંથી ક્ષત્રિ કે જેઓએ વખિ વૃત્તિ સ્વીકારી હતી. તેઓજ હાલ વિધમાન છે તેમાંથી એટલે ચોરાશી જાતના વાણિયાઓ પૈકી ઘણી જાતના વાણિયાઓ વૈષ્ણવ વગેરે ધર્મમાં બ્રાહ્મણે વગેરેના ઉપદેશથી દાખલ થયા. કપિલ, ખડાયતા,
For Private And Personal Use Only