________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ )
ચાર્યાં વચ્ચે ઘણા વિવાો થયા. જૈનધર્મરૂપ ધરમાં આ પ્રમાણે મતભેદ થવાથી જૈનધર્મીઓને સર્વત્ર એક સરખી રીતે ઉત્સાહ શ્રદ્ધા વગેરેના ઉપદેશ મળવા લાગ્યા નહિ. ચૈત્યવાસીએના સામા રહીને પોતાના મૂળ માર્ગનું રક્ષણુ કરવામાં જૈનાચાર્યાંનુ ઘણું બળ વપરાઇ ગયુ. વનરાજ ચાવડાના વખતમાં ચૈત્યવાસીઓનુ ઘણું જોર હતું અને તે વખતે તે લેાકાએ ચૈત્યવાસીની પ્રબલતા વધારવાને રાજાઓને પણ પેાતાના પક્ષમાં લીધા હતા. લગભગ એક હજાર વર્ષ સુધી ચૈત્યવાસીઓનું જોર રહ્યું તેમના વશમાં માલદેવ મહાત્મા, લાડેલને મહાત્મા, મુજપુરના મહાત્મા, વાંકાનેરના મહાત્મા અને વાંકાનેરની જતણાઓ વગેરે ગણાય છે. આ પ્રમાણે પરસ્પર મતભેદ વિશ્રહમાં જૈનાચાર્યાનું બળ ક્ષીણુ થવા લાગ્યું. આવી જેનાચાર્યો અને જૈનસાધુએની દશા દેખીને બ્રાહ્માએ વેદધર્મના પ્રચાર ફરવા પ્રબળ ઉપાયે યેાજ્યા. હિન્દુસ્થાનપર અન્ય દેશીઓની સ્વારીએ આવવાથી હિન્દુસ્થાનના લેાકેામાં અશાન્તિ વધતી હતી. હિન્દુસ્થાનના રાજાઓમાં પરસ્પર કુસપ વધવા લાગ્યો. કલ્યાણીના ભુવા રાજાએ વલ્લભીના જયશિખરની સાથે યુદ્ધ કર્યું ત્યારથી જ્યાં ત્યાં પરસ્પર લડાઇએ શરૂ રહેવા લાગી. દેશમાં અંધાધુંધી પ્રસરવા લાગી. ગુજરાતની ગાદી પર વિક્રમ સંવત ૮૦૨ ની સાલમાં પાર્ટમાં વનરાજ ચાવડા બેઠા તે વખતે ગુજરાત, કાઠીયાવાડ, લાટ, માળવા, મેવાડ, કાન્યકુબ્જ, મારવાડ વગેરે દેશેામાં જતેનું પુષ્કળ જોર હતું.
વિક્રમ સંવત્ ૮૦૫ માં દક્ષિણમાં શકરાચાર્યને જન્મ થયા. તેણે વેદધર્મના પ્રચાર કરવા આરભ કર્યો. વિક્રમ સંવત્ આઠની સ લમાં દક્ષિણ દેશમાં કુમારિલે જૈનધર્મનુ ખંડન કરવા લક્ષ આપ્યું.
For Private And Personal Use Only