________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ ). માહામ્ય નામનો ગ્રન્થ છે કે જેના કર્તા શિલાદિત્ય રાજાથી પૂજિત શ્રી ધનેશ્વર સૂરિ છે. શ્વેતાંબર જૈનાચાર્યોએ અને મુનિએ ધર્મ સંબંધી ઘણા ગ્રન્થો રચ્યા છે તે સંબંધી અજવાળું પાડનાર જનાગમલીસ્ટ કે જે જન વેતાંબર કોન્ફરન્સ તરફથી બહાર પડયું છે તેનું અવલોકન કરવું. સિકંદર અને તેની પછીની સિથિયન–મુસલમાન વગેરેની સ્વારીઓથી ઘણું જૈનગ્રન્થો નષ્ટ થયા છે. ધર્મયુદ્ધ વખતે ઘણું ગ્રન્થ નષ્ટ થયા છે અને ઘણા ગ્રન્થ ભંડારોમાં છર્ણ થઈ સડી ગયા છે. જન દિગંબરેમાં પણ ઘણું જનધર્મ સંબંધી પુસ્તકો છે. તેમનામાં પુરાણો છે. જનધર્મીઓએ રચેલા પુસ્તકો બહાર પડશે ત્યારે જૈનેતર વિધાને જનધર્મની ઉત્તમતા જાણવા ભાગ્યશાલી બનશે.
તી. જૈન શાસ્ત્રમાં અનેક પવિત્ર તીર્થોનું માહાસ્ય જણાવવામાં આવ્યું છે. સર્વ તીર્થોમાં સિદ્ધાચલ તીર્થની શ્રેષ્ઠતા સ્વીકારવામાં આવી છે. તીર્થકલ્પ, વિવિધ તીર્થકલ્પ વગેરે ગ્રન્થોમાં જૈન તીર્થોની યાદી આપવામાં આવી છે. શત્રુંજય, ગિરનાર, તલાજ, આબુજી, તારંગા, રાણકપુર, સંખેશ્વર, ભોયણી, પાનસર, કેશરીયા, અંતરિક્ષ, મક્ષીજી, મારવાડની પંચતીથ, પાવાપુરી, વૈભારકિરિ, અશ્વાવબધ તીર્થ, અને સમેતશિખર વગેરે અનેક તીર્થો જેમાં હાલ વિદ્યમાન છે જેનેનાં હાલ આશરે નાનાં મોટાં છત્રીસ હજાર દેરાં છે એમ સંભળાય છે. જૈન તીર્થોમાં પ્રભુની ભક્તિ કરવા માટે જેને જાય છે. તીર્થગાઈડ નામનું પુસ્તક વાંચવાથી જન તીર્થો સંબંધી પ્રકાશ પડે છે. કહેવાને સારાંશ એ છે કે જેનેનાં તીર્થોથી જેનેની પ્રાચીનતા, મોટાઈ અને તેઓની ઉન્નતિને ખ્યાલ આવી શકે છે. જેનેએ જિન મન્દિર બંધાવાને શિલ્પકળાને ઘણું ઉત્તેજન આપ્યું
For Private And Personal Use Only