________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખી –ઇશ્વરે પિતાની શક્તિ ( કુદરત) થી જગત બનાવ્યું છે અને ઈશ્વરની શક્તિ છે તેજ જગતનું ઉપાદાન (મૂળ) કારણ છે.
જેન–ઈશ્વરની જે શક્તિ છે તે ઈશ્વરથી ભિન્ન છે કે અભિન્ન છે? તમે કહેશે કે ભિન્ન છે, તે અમે પુછીએ છીએ કે, ઈશ્વરની જે ભિન શકિત તે જડ છે કે ચૈતન્ય છે? જે કહેશો કે જવું છે તે તે શક્તિ નિત્ય છે કે અનિત્ય છે ? તેમાં કહેશે કે નિત્ય છે તે તમારું કહેવું એ હતું કે આ જગની રચનાના પહેલાં એક ઇશ્વર હતું, બીજું કોઈ પણ હતું નહીં. એ ઉન્મત્તના વચનની પેઠે પિતાના વચનને પૂરું કર્યું કરશે, કેમકે મુખથી કહે છે કે શકિત નિત્ય છે અને બીજું વચન કહે છે કે આ જગતની રચનાના પહેલાં એકલો ઈશ્વર હતું. આ વગરવિચારનું બોલવું છે. કદાચ કહેશે કે અનિત્ય છે, તે તે શકિતનું ઉત્પાદન (મૂળ) કારણ બીજી શકિત થશે તેની વળી બીજી શક્તિ એમ અનવસ્થા દ્વષણ આવે છે. વળી કહેશો કે, ઈશ્વરની શકિત ચૈતન્ય છે, તે વળી તે શક્તિ નિત્ય છે કે અનિત્ય છે. બન્ને પક્ષોમાં પણ અનવસ્થા દુષણ આવે છે. વળી કદાપિ કહેશો કે ઈશ્વરની શકિત ઈશ્વરથી અભિન્ન છે, તે સર્વ પદાર્થો ઈશ્વરમય થઈ ગયા અને તેથી સર્વ વસ્તુને ઈશ્વર કહેવું જોઈએ. જે સર્વ વસ્તુ, ઈશ્વર થાય તે સારૂં, ખરાબ, સ્વર્ગ, નર્ક, પુષ્ય, પાપ, રંક, રાજા, ચોર, સાધુ, મૂર્ણ, પંડિત, પશુ, પક્ષી, જલચર ઈત્યાદિક સર્વ વસ્તુઓ પિતે ઈશ્વર થઈ ગઈ. ત્યારે જગને ઈશ્વરે શું રયું? પોતે જ પોતાનું સત્યાનાશ કર્યું. આ પ્રથમ કલંક ઈશ્વરને લાગુ પડતું થાય. બીજું કલંક આવે છે કે જ્યારે સર્વ વસ્તુ ઈશ્વર બની ત્યારે મનુષ્યોને બાઈબલમાંની દસ કલમો કહેવાનું શું પ્રયોજન? ત્રીજું કલંક એ આવે છે કે પિતાના જ્ઞાનને મહિમા દેખાડવાને પોતાના પુત્ર ઈસુને જગપર મોકલ્ય, શુદ્ધથી અશુદ્ધ બન્યા એ ઓછું કલંક હવે વસ્તુ જગમાં સારી બેટી
For Private And Personal Use Only