________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન–હજારે કુંવારી કન્યાને પેટે પ્રભુના મહિમાથી દીકરા થાઓ તેમાં અમારે કાંઈ લેવા દેવા નથી. પણ પ્રભુએ કુંવારીને પેટે કેમ જન્મ આપે ? તેનું શું કારણ? કદાચ તમે એમ કહેશે કે, મરીયમ પવિત્ર આત્મા હતી. તેવી બીજી કઈ સ્ત્રી જગતમાં નહોતી. તેથી તેના પેટે જન્મ આપે. પણ જેને પવિત્ર આત્મા હોય તેને અપવિત્રના સંગમથી અપવિત્ર પણું આવતું નથી, વળી પવિત્ર વસ્તુ અપવિત્રને પણ પવિત્ર કરે છે. એ ના પડાય તેમ નથી કેમકે જે એમ ન હોય તે તમારાજ મત પ્રમાણે ઈસુ જે પવિત્ર તેના સંગથી તેનાં લુગડાં પવિત્ર થયાં તેથી તે ખરૂં ઠરે છે, તે પવિત્ર ઈસુને પરણેલી સીના પેટે જન્માવ્યું હતું તે તેમ કરવાની પ્રભુની શક્તિ શું નહોતી અને તેમ કર્યું હોત તે લોકમાં પણ યુક્તિયુક્ત કહેવાત.
પ્રીસ્તી-કુંવારી કન્યાને પેટે પ્રભુએ ઈસુને જન્મા તેથી લેકેને આશ્ચર્ય થાય, અને ચમત્કાર પામે, પરમેશ્વરને મહિમા વધે અને તેને દીકરે કહેવાય, માટે કુંવારીના પેટે પ્રભુએ ઈસુને જન્મ આપે.
જૈન–સારૂ સાહેબ! પરમેશ્વને ચમત્કાર બતાવવાને આ તમારા મત પ્રમાણે રસ્તે સારે સુજ્ય હશે. જગકર્તા પોતે અને તેને વળી ચમત્કાર બતાવવાની અગત્ય! આ પણ એક આશ્ચર્યજ. જે ચમત્કાર બતાવીને માનતા વધારવાની અને લોકેમાં મનાવા પૂજાવાની તમારા મત મુજબ પ્રભુને અગત્ય હત તે તે પોતે પર્વત જેવડું રૂપ ધરી તારા જેવડા ડોળા કરીને દુનીઆમાં ફરી લેનાં દુખ દારિદ્ર દફે કરતા રહ્યા હેત તે તેથી સર્વ લોકે બેશક ચમત્કાર પામત અને તેથી કઈ પણ માણસ તમારા માનેલા પ્રભુને માન્યા વગર રહેત શું? અર્થાત સર્વલોક માનત, શું પ્રભુમાં તેવી શક્તિ નહતી ? વળી ક્ષમા ચાહી પુછવાની રજા લઉં છું કે, પ્રભુએ મરીયમને
For Private And Personal Use Only