________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્રીસ્તી–તીર્થકર કેટલા હોય છે ? જૈન–છ આરામાં વીસ તીર્થકર હોય છે, ખ્રીસ્તી-આરા કેટલા હોય છે. જૈન–બાર. ઉત્સર્પિણીના છે અને અવસર્પિણીના છે.
ખ્રીસ્તી–આ જગત્ પ્રભુ ઈસુએ બનાવ્યું તે અમો સત્ય જાણીએ છીએ.
જૈન–આ જગત પ્રભુએ બનાવ્યું નથી. પ્રભુએ જગત બનાવ્યું તે કયા પુસ્તકમાં છે તેનું પ્રમાણુ બતાવે !
ખ્રીસ્તી–પ્રભુના પવિત્ર પુસ્તક બાઈબલમાં લખ્યું છે. જૈન–શું લખ્યું છે? કેવી રીતે? તે કહે.
ખ્રીસ્તી–પરમેશ્વરે પિતાના શબ્દવડે કરીને આકાશ અને પૃથ્વી નિર્માણ કીધાં અને આખી પૃથ્વી ધીમે ધીમે ઉત્પન્ન થાય તેવી તેની મરજી હતી. તેણે તે પહેલાંથી બધી વસ્તુઓની સંખ્યા તથા આકાર નિર્માણ કર્યા હતા.
જૈન–શબ્દ ક્યાંથી ઉત્પન્ન થાય છે?
પ્રીસ્તી–મુખમાંથી શબ્દ થાય છે, તે શું તમે સમજતા નથી ?
જૈન–હા ભાઈ. સમજુ તો છું, પણ મારું પુછવાનું રહસ્ય એ છે કે, પ્રભુને મુખ હતું ને મુખવાળાને તો આંખ, કાન, નાક વિગેરે બીજી ઈદ્રિય હોય છે ત્યારે શરીર પણ તેને ખરું કે નહીં? તેવા વિચારમાં હું પડ છું.
ખ્રીસ્તી–અરે વાહ! શરીર વિના મુખ તે હાય! માટે શરીર પણ તેને ખરૂં.
જેન–જેને શરીર હોય તેને આકારવાનું કહેવાય કે નહીં? ખ્રીસ્તી–બેશક, આકારવાનું કહેવાય.
જૈન–ત્યારે તમારા આ પ્રમાણ મુજબ જગત્ કર્તા પ્રભુ આકાશવંત થયે.
For Private And Personal Use Only