________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરલતા, પવિત્રતા, માટે ઉપદેશ આપ્યો છે તે સત્ય છે અને તેવો ઉપદેશ તે એશિયાના, હિંદના અનેક ભક્તાએ તેમની પૂર્વે પણ આપે છે. તેમણે ઇશ્વરે જગત બનાવ્યું, અને જેને ઈશ્વરે બનાવ્યા તથા ગાય વગેરે પશુઓમાં તથા પંખીઓમાં આત્મા નથી, ઈત્યાદિક જે કહ્યું છે તે અસત્ય છે. બાઈબલમાં પ્રભુ યહેવાહને રાગી, દ્વેષી, કેપ કરનાર તરીકે જણાવ્યું છે, તેથી ઈશ્વરના યથાર્થ સ્વરૂપને ઈશુએ જાણ્યું હોય એમ અમે માનતા નથી. રૂશિયાના મહાત્મા ટેસ્ટેયે ઈશ્વરની માન્યતા કબુલરાખી છે પણ તે દયાળુ હોવાથી કેઈને નરકમાં નાંખતા નથી અને નરક નથી એમ તેણે જણાવ્યું છે. મહાત્મા ઈશુએ ઈશ્વરને પ્રેમ કરનારે તથા કેપ કરનારે જણાવ્યું છે તે બાબત સત્ય નથી, તેનું કારણ અમે પૂર્વે આપ્યું છે. મનુષ્યોના ખાવા માટે પ્રભુએ પશુ પંખી જલચર બનાવ્યાં છે એમ જે કહ્યું છે તે પણ અસત્ય છે. કારણ કે દયાળુ, ન્યાયી ઈશ્વર કદાપિ મનુબેનામાટે પશુઓ વગેરે બનાવે નહીં. કારણ કે પશુઓ વગેરે જીવે છે તેઓને મરણ હાલું લાગતું નથી, ઉલટું તેઓ મૃત્યુના ભયથી નાસી જાય છે અને બહુ દુઃખી થૈ ચીસો બૂમ પાડે છે, તેઓ જીવવાની ઈચ્છા ધરાવે છે, મનુષ્યની પેઠે સુખ દુઃખ જાણે છે અને જીવવા ઈચ્છે છે, તેથી મનુષ્યના ખાવામાટે પશુઓ વગેરે બનાવ્યાં એવું જે ઈશુનું મંતવ્ય હોય તે તે અસત્ય છે અને બાઈબલમાં લખેલું એવું અસત્ય છે. પ્રભુ યહોવાહે, નગરે મનુષ્ય ઉપર કેપ કર્યો ઈત્યાદિ પ્રભુમાં કેપ વગેરે દેશે જે દર્શાવ્યા છે તે પણ અસત્ય છે. છ સદા નિત્ય છે, અનાદિ કાળના છે, તેઓને પ્રભુએ બનાવ્યા ઈત્યાદિ કથન અસત્ય છે. બાકી જે સત્ય છે તેને તે અમે બાઈબલમાં હોય કે ગમે તેમાં હોય તેને માનીએ છીએ, તથા ઇશુક્રાઈસ્ટમાં જે જે દયા વગેરે નીતિના મોક્ષમાર્ગનુસારી ગુણ કેટલાક હતા તેને અમે માનીએ છીએ. સર્વ મનુષ્ય, ઇશુક્રાઈસ્ટના જેવા ભકિત નીતિના ગુણોથી ઈશુએ છે અને આત્માની શુદ્ધિથી સર્વ
For Private And Personal Use Only