________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાહરે ખ્રિસ્તી મિત્ર ! તમે કુયુકિત કરી પુનર્લગ્ન સત્ય કાકી બેસાડવા કસર રાખતા નથી પણ તે વ્યાજબી રીતે તે કઈ પણ પ્રકારે સાબીત થાય તેમ નથી અને તે કરવામાં ઘણું જ પાપ છે એ સત્ય માનજે. વળી પુનર્લગ્ન સંબધે આ નીચે દીવાળી નામની પરણેલી અને મણ નામે કુંવારી કન્યા હતી, તે બે બેનેને સંવાદ આપના લક્ષમાંલેવા મૂકું છું તે ધ્યાન પૂર્વક જોશે. - દીવાળી-કેમ મારી નાની બહેન મણી! આજ કાલ પુનલગ્ન થાય છે તું જાણે છે? - મણ-મટી બહેન? પુનર્લગ્ન શું છે તે હું કાંઈ સમજતી નથી. મેં આજેજ તમારે મેં એવું નામ સાંભળ્યું
દીવાળી-વાહ? શું તું એટલુંએ જાણતી નથી. આજકાલ સુધારાને નામે એ પશ્ચિમને પવન ફુકાય છે તેમાં તું સમજી ન હોય તે વાત જૂહી, પણ તે સાંભળ્યું પણ ન હોય એવું તારા બોલવા ઉપરથી જણાય છે, તેથી હું તાજુબ થાઉં છું.
. મણું-ખરું કહું છું કે બેન એ શું છે તે વિષે હું કાંઈ સમજતી અને જાણતી નથી.
દીવાળી-ઠીક, લે ત્યારે હું તને તે જણાવું, સાંભળ એક વાર લગ્ન કર્યા પછી જે સ્ત્રીને ભરતાર મરી ગયે હેય તે સ્ત્રી બીજા પુરૂષની સાથે પરણે તેને પુનર્લગ્ન કહેવાય છે.
મણ–રૂ! સમજી!! પણ પરણેલે પતિ મરી જાય ત્યારે તે સ્ત્રી રડાય-વિધવા થાય અને વિધવા થયા પછી વળી બીજા પુરૂષને પરણે એવું તે થતું હશે ? એને જ સાંભળ્યું. ત્યારે કહે જોઈએ તેવું પુનર્લગ્ન કરવાથી શું ફાય?
દીવાળી-વાહરે મારી નાની વસ્ત! એટલુંએ ન સમજા મનમાન ન ધારણ કરી વિષયસુખ ભોગવીએ અને લહેર કરીએ.
For Private And Personal Use Only